Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 245
________________ ભાગ - 1 233 પણ મુક્તિની ઈચ્છા જાગ્રત થાય છે. અભવ્ય-મિથ્યાત્વીને કદી પણ, કોઈ પણ જન્મમાં મુક્તિનો પ્રેમ પેદા થતો જ નથી, એટલું જ નહીં, મોક્ષ પ્રતિ દ્વેષ પણ રહે છે ! મિથ્યાત્વથી અતિચાર : સમ્યકત્વ સહિત બાર વ્રત જ્યારે ગૃહસ્થ ગ્રહણ કરે છે ત્યારે એ સમયે (જો તે જીવ ભવ્ય હોય તો) આત્મામાં વિશેષ પ્રકારની શુદ્ધિ પ્રકટ થાય છે, પરંતુ તે શુદ્ધિ સંપૂર્ણતયા (Totally) મિથ્યાત્વની અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની સફાઈ કરવામાં સમર્થ નથી બનતી તો ગમે ત્યારે પણ ઉપશાંત મિથ્યાત્વ અને ઉપશાંત કષાય ઉદયમાં આવી શકે છે અને જીવને ભ્રમિત કરી શકે છે, અસ્વસ્થ કરી શકે છે. ભ્રમિત અને અસ્વસ્થ મનુષ્ય વ્રતોને દૂષિત કરે છે - અતિચાર લાગે છે. વ્રતધારી શ્રાવક જ નહીં, મહાવ્રતધારી સાધુ પણ જો તેનાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી જાય તો તે પણ પોતાનાં વ્રતોને અતિર ર લગાવે છે. મિથ્યાત્વ અને કષાયોનો તીવ્ર ઉદય થતાં સાધુ અને શ્રાવક વ્રતભ્રષ્ટ પણ થઈ શકે છે. ભૂતકાળમાં આવા ઘણા પ્રસંગો બન્યા છે અને વર્તમાનકાળમાં પણ બને છે. સમ્યકત્વના પાંચ અતિચાર : જ્યારે મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે પાંચ પ્રકારના અતિચારો લાગે છે. "પ્રવચન સારોદ્ધાર” ગ્રંથમાં આ પ્રકારના અતિચારો બતાવવામાં આવ્યા છે. संका कंखा य तहा वितिगिच्छा, अन्नतित्थि य पसंसा परतित्थि ओव सेवणमइयारा पंच सम्मत्ते / પહેલો અતિચાર છે શંકા, જીવાદિક નવ તત્ત્વના વિષયમાં સંશય કરવો. બીજો અતિચાર છે કંખા, એટલે અન્ય ધર્મો સાથે વીતરાગ ધર્મની તુલના કરીને અન્ય ધર્મોને વિશેષ માનવા. ત્રીજો અતિચાર છે રિતિગિચ્છા-અતિભ્રમ થતાં ફળ ઉપર સંદેહ કરવો. ચોથો અતિચાર છે અન્ય ધાર્મિકોની પ્રશંસા કરવી–વીતરાગ ધર્મની નિંદા કરવી. Jain Education International For Private & Personal Use Only ' . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254