SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 208 શ્રાવક જીવન વ્રતનિયમોની આજ અનિવાર્યતા છે : આવી સ્થિતિમાં વ્રત અને નિયમ કેટલા આવશ્યક છે એ વાત તમે લોકો સમજી શકો છો. અહીં બેઠેલા કેટલાક મહાનુભાવો એ માટે પરેશાન છે, કારણ કે ઘરમાં શરાબની બાટલીઓ આવી ગઈ છે ! એમના ઘરોમાં ઈંડાં આવવા લાગ્યાં છે ! તેઓ રોકી શકતા નથી. પરેશાન છે ! પરંતુ તે લોકો પોતાની ભૂલ કબૂલ કરશે કે તેમણે સંતાનોને બાળપણથી વ્રત - નિયમોનો મહિમા બતાવ્યો નથી. બચપણથી સદાચારોનું શિક્ષણ આપ્યું નથી. બચપણથી સંતાનોના મનમાં પાપોનો ભય ભય નથી..આ વાતો લોકો કબૂલ કરશે? ઉપસંહાર : હજુ પણ તમે લોકો જાગૃત થઈને વ્રતનિયમોનો મહિમા સમજો. સદાચારનો મહિમા સમજો. તમારા અને તમારા પરિવારના લોકોના જીવનમાં વ્રતપાલન હોય એવું વાતાવરણ ઉત્પન્ન કરો. વાતાવરણ બગડતું જાય છે, છતાં પણ તમે રોકી શકો છો. નિરાશ થવાની જરૂર નથી. ઉપાય અને ઉપચાર શોધતા રહો. જરૂર આવા ઉપાયો મળી રહેશે. "દેશાવકાસિક વ્રત” એ લોકો માટે છે કે જેમણે બાર વ્રતો અંગીકાર કર્યો છે, અને જેમની મનોવૃત્તિ નિવૃત્તિ પ્રત્યે આકર્ષિત થઈ ગઈ છે ! વ્રતપાલન વિશેષ દ્રઢતાથી કરવાના મનોરથ જેમના મનમાં પેદા થયા હોય. આવા લોકો એ વ્રતને દોષ લગાડ્યા વગર સારી રીતે તેનું પાલન કરી શકે છે. નિવૃત્તિનું લક્ષ્ય બનાવીને, વ્રતગ્રહણ કરીને, તેને સારી રીતે પાળીને આત્મકલ્યાણના પથ ઉપર અગ્રેસર થાઓ એ જ મંગળ કામના. . આજ બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy