________________ (પ્રવચન : 21) - પરમ કપાનિધિ, મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી સ્વરચિત "ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કરે - છે. વિરોધનો વતનાય છે. તમને કર મજાનો. આજે અગિયારમું -- વ્રત સમજવાનું છે. મેં કાલે તમને લોકોને કહ્યું હતું તેમાં તમામ વાતો નિવૃત્તિ માર્ગની છે. સંસારની પ્રવૃત્તિથી મુક્ત થવાની ભાવના હોય, અને મોક્ષમાર્ગની સત્યપ્રવૃત્તિઓ કે જે નિવૃત્તિમય છે; એમાં અભિરુચિ હોય ત્યારે આ વ્રતો ગ્રહણ કરવાનાં હોય છે, અને સુચારુ રૂપથી પાળવાનાં હોય છે. પૌષધ વ્રત આજે મારે જે વ્રતની વાત કરવાની છે એ પૌષધવ્રત તો એક પ્રકારની સાધુતા જ છે ! પૌષધદ્રત કરનાર મનુષ્ય 24 કલાક માટે યા તો 12 કલાક માટે શ્રમણસાધુ બની જાય છે. સાધુ જેવી જ તમામ દિનચર્યા હોય છે પૌષધવ્રતમાં ! જો મનુષ્ય મહિનામાં બે-ચાર પૌષધ કરતો રહે, તો અનેક ચિંતાઓમાંથી, સંતાપોમાંથી, અને બીજી ઉપાધિઓભરી જિંદગીમાં કંઈક "રીલેક્સ” છુટકારો પામી શકે છે-રાહત મેળવી શકે છે. અને "આ મનુષ્ય જીવન સાધુતા માટે જ છે” એ આદર્શ સ્મૃતિમાં ટકી રહે છે. જ્ઞાની પુરુષોએ એ દ્રષ્ટિથી કહ્યું છે કે ચતુર્દશીના, અષ્ટમીના, પંચમીના દિવસે પૌષધ કરો. પર્વતિથિઓ નિવૃત્તિમય જીવન જીવવા માટે છે. પાપમય, અશાંતિમય, ફલેષમય જીવન પર્વતિથિઓમાં જીવવાનું નથી. ઘર અને દુકાનથી દૂર રહેવાનો અભ્યાસ કરવો આવશ્યક છે. પૌષધ જ એ અભ્યાસ છે. નિરંતર ઘર અને દુકાન સાથે રહેનારા લોકો અશાન્ત અને સંતપ્ત રહે જ છે, તમને લોકોને તો અનુભવ હશે. સભામાંથી એવું જ છે. મહારાજશ્રી તો પછી પૌષધવ્રતની ઉપેક્ષા શા માટે? “પૌષધ એક પ્રકારની શાન્તિ પામવાની, સ્વસ્થતા પામવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. સંસારના તમામ વ્યવસાયોથી મુક્તિ ! આ મુક્તિ 24 કલાકની યા 12 કલાકની લઈ શકો છો, મુક્તિ ઈચ્છો તો મળી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org