Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 217
________________ 205 ભાગ - 1 ત્રીજો અતિચાર ત્યારે લાગે છે કે જ્યારે વ્રતધારીએ ઘરની બહાર યા ઘરના કંપાઉન્ડમાંથી બહાર ન જવાની પ્રતિજ્ઞા કરી હોય છે. તે પ્રતિજ્ઞા લઈને ઘરમાં બેઠો હોય અને બહાર કોઈ માણસ ઊભો છે તેની સાથે વાત કરવી હોય, ત્યારે તે ઘરની બહાર તો જઈ શકે તેમ નથી! તેને ઘરમાં બોલાવી પણ શકતો નથી કે "લલ્લુભાઈ. જરા ઘરમાં આવો તો, તમારી સાથે મારે વાત કરવી છે.” આ પ્રકારે બોલાવવાથી વ્રતભંગ થઈ જાય છે. એટલા માટે પેલા બહાર ઊભેલા માણસને બોલાવવા માટે છીંક ખાય છે, ખૂંખારો કરે છે કે જેથી બહાર ઊભેલો માણસ સમજી જાય કે "મને ઘરમાં બોલાવવામાં આવે છે !" આ પ્રકારની ચાલાકીથી અતિચાર લાગે છે. ચોથો અતિચાર : ચોથો અતિચાર પણ આ પ્રકારનો છે. બહાર ઊભેલા માણસને ઘરમાં બોલાવવા માટે (પોતે ઘરની બહાર જઈ શકતો નથી માટે) તે છીંક નથી ખાતો, તાળી નથી પાડતો, પરંતુ પોતે ઘરના બારણે જઈને ઊભો રહે છે, જેથી બહારનો માણસ એને જોઈ શકે અને સ્વયં ઘરમાં આવી જાય. આ પ્રકારની ચાલાકી કરવાથી અતિચાર લાગે છે. પાંચમો અતિચાર : પાંચમો અતિચાર પણ 3-4 અતિચાર જેવો જ છે. કપટ કાર્યમાં ફરક છે. પોતાની મર્યાદા બહારના માણસને બોલાવવાની પદ્ધતિ બદલાય છે. કાંકરી ફેંકીને તેનું ધ્યાન દોરવામાં આવે છે. અથવા બીજી કોઈ વસ્તુ ફેંકીને પેલી વ્યક્તિને પોતાની પાસે બોલાવવામાં આવે છે. હું મારી માઈલની યા કિલોમીટરની મયદાની બહાર જઈ શકતો નથી, જવાથી વ્રતભંગ થાય છે. મારે વ્રતભંગ નથી કરવો અને કાર્ય કરવું છે. એટલે બીજો ઉપાય શોધીને કાર્ય કરું !" સભામાંથી એવું કરવાથી ભાવથી તો વ્રતભંગ થઈ જ જાય છે ને ? મહારાજશ્રી હા, થઈ જાય છે. વ્યવહારથી ભંગ નથી થતો, અતિચાર લાગી જાય છે. જે માણસ વ્યવહારથી પણ વ્રતભંગ નથી કરતો તે એક દિવસે ભાવથી વિતપાલન કરવા માટે સમર્થ બની શકે છે. અમારો વ્રતભંગ ન થવો જોઈએ આ છે વ્રતસાપેક્ષતા. જો વ્રતસાપેક્ષતા નથી રહેતી તો વ્રતભંગ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254