Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 986
________________ શારદા સરિતા ૯૪૫ ત્રણેય મિત્રોની વાત પૂરી થયા પછી સમરાક્રિત્યકુમારે ગંભીરતાપૂર્વક કહ્યું-મિત્ર ! તમે આ શું ખેલી રહ્યા છે ? વિષયા વિષ જેવા છે. કામી માણસમાં વિવેક હાતે નથી. તે સાચા પરમાર્થને જાણી શકતા નથી તેથી આ લેાહીમાંસથી ભરેલા મુખને ચદ્ર અને કમળની ઉપમા આપે છે. વળી કામશાસ્ત્રથી સ્ત્રીના સેવનથી સારી સ ંતતિ થાય છે એવે નિયમ નથી. કોઈ સતી સ્ત્રીના છેકરા દુરાચારી અને દુરાચારિણી શ્રીએના છેાકરા સુશીલ થાય છે માટે કામશાસ્ત્ર એ શાસ્ત્ર નથી. શાસ્ત્ર તેા એ કહેવાય કે જેના સેવનથી માણસનું પાપ નષ્ટ થાય અને મેક્ષ મળે. એવું જો કોઈ શાસ્ત્ર હોય તે તે ધર્મશાસ્ત્ર છે. કુમારની વાત સાંભળી ત્રણેય મિત્રા ખેલતા બંધ થઇ ગયા ને તેમને પણ કુમારના રંગ લાગ્યો. સંસારના રંગમાં રંગવા આવેલા કામી મિત્રા વૈરાગી બની ગયા. ત્યારે પુરૂષસિંહ રાજાના મનમાં થયું કે અહે!! મેં જે ત્રણ મિત્રને કુમારને સંસાર તરફ વાળવા મેકલ્યા હતા તે પણ એના સંગથી વૈરાગી બની ગયા. મધુએ ! સમરાદિત્યકુમારના સંગથી આવા કામી પુરૂષ પણ વૈરાગ્ય પામી ગયા. અમે તમને ચાર ચાર મહિના એકધારી વીતરાગ વાણી સંભળાવી. પણ કાંદાવાડીના એક પણ શ્રાવક વૈરાગી અન્ય નથી. (હસાહસ). રાજા વિચાર કરે છે કે મારા કુમાર જે સંસારથી વિરકત અને ધર્મઘેલા રહેશે તે મારૂં રાજ્ય કેમ ચાલશે ? આવા વિચારમાં રાજા ચિંતાતુર હતા તે વખતે મહાજનના બે આગેવાનાએ ત્યાં આવીને રાજાને વિનંતી કરી કે આપણા નગરની બહાર વસતાત્સવ ઉજવવાના છે તે આપ ત્યાં પધારા ને ! ત્યારે રાજાએ કહ્યું કે હું નહિ આવું પણુ આ સમરાદિત્યકુમાર આવશે. એમ કહી કુમારને કહ્યું હે પુત્ર! વસતેાત્સવ નિરખવા જાઓ અને પ્રજાની સાથે ભાગ લઇ વસતાત્સવને આનંદ માણે. કુમારને કયાંય જવાનું મન થતું નથી પણ પિતાની આજ્ઞાનું પાલન કરવા ખાતર કુમાર થમાં બેસી નગર બહાર ઉદ્યાનમાં આવ્યા ને ત્યાં આવીને જોયું તે કેટલાક સ્ત્રી-પુરૂષા નાચતા ને કૂદતા હતા. તે કાઈ માટેથી ગીતા ગાતા હતા, આ અધું જોઇને લેાકેાના મુખ ઉપર આનદ હતા પણુ આ દશ્યથી કુમારને જરા પણ નદ ન થયા. તેને તેા લાગ્યું કે આ લેાકેા કેવા અજ્ઞાન છે. એમને તે એમ જ લાગે છે કે આપણે મરવાનું નથી. આમ કરતાં રથ થાડા આગળ ચાલ્યા ત્યાં રકતપિત્તની પીડાથી ઘેરાયેલા ને બૂમ પાડતા એક માણસને કુમારે જોચે. તે રાગી રડતા હતા ને ધ્રુજતા હતા. એને જોઇને સમરાજ્યે પૂછ્યું- આ માણસ શા માટે રડે છે ત્યારે સેવકાએ કહ્યું- કુમાર ! એના શરીરમાં રાગ ઉત્પન્ન થયા છે. તેની કારમી વેદના એ સહન કરી શકતા નથી માટે રડે છે.

Loading...

Page Navigation
1 ... 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020