Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 205
________________ ૧૮૮: પદર્શન સુબાધિકા રચતાં નથી, પરંતુ ઇશ્વર પોતે જ પિતાના સ્વરૂપે જ આ જગતની રચના કરે છે. જે કારણ છે તે જ કાર્ય બને છે. માટે ઈશ્વર સત્ય છે તેટલું જ જગત સત્ય છે. શ્રી વલ્લભાચાર્ય જ જગતના એકલા નિમિત્તકારણ તરીકે ઈશ્વરને સ્વીકારતા નથી પરંતુ તેઓ કહે છે ઈશ્વર નિમિત્તકારણ છે તે જ રીતે ઉપાદાન કારણ પણ છે. એનામાં બંને કારણે સાથે રહેલાં છે. એ રીતે એ પિતે નિમિત્તકારણ તેમજ ઉપાદાનકારણ હોવા છતાં એ બંને કારણમાં કઈ જાતને ભેદ પડતું નથી, માટે વિદ્વાને પરમેશ્વરને જગતનું અભિન્ન નિમિત્તોપાદન કારણ કહે છે. તાત્પર્ય એ છે કે–ઈશ્વર જગતનું કારણ છે, ઈશ્વર જગત-સ્વરૂપે બને છે. ઈશ્વરથી જગત ભિન્ન નથી, આથી એ સિદ્ધ થાય છે કે જગત ઈશ્વરનું પરિણામ છે. ઈશ્વર પિતે જ આ જગત-સ્વરૂપે પરિણમે છે, એમ છતાં ઈશ્વરમાં કઈ પણ જાતને વિકાર આવતે જ નથી કારણ કે ઈશ્વર સર્વ વિકારોથી પર રહેલો છે. એ કારણથી જગત એ ઈશ્વરનું અવિકૃત પરિણામ છે અને તેથી એ વાદને અવિકૃત પરિણામવાદ કહેવામાં આવ્યો છે, જેમાં ઈશ્વર જગતરૂપે પરિણમતે હેવા છતાં એનામાં જગત સંબંધી કેઈપણ જાતને વિકાર સંભવ નથી. જગ ત ઈશ્વ રકૃતિ છે સંસાર માનવકૃત છે તે આ સંપ્રદાયનું વિશેષ કથન છે. જ્યારે આ સંપ્રદાયમાં સન્યાસ લેવામાં આવતું નથી તેથી વંશ પરંપરાગત ગાદીએ આચાર્યો આવે છે. આ સંપ્રદાયને ગુજરાતમાં વધુ પ્રચાર છે. આને ગુજરાતમાં હવેલી સંપ્રદાય તરીકે પણ ઓળખાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250