SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮: પદર્શન સુબાધિકા રચતાં નથી, પરંતુ ઇશ્વર પોતે જ પિતાના સ્વરૂપે જ આ જગતની રચના કરે છે. જે કારણ છે તે જ કાર્ય બને છે. માટે ઈશ્વર સત્ય છે તેટલું જ જગત સત્ય છે. શ્રી વલ્લભાચાર્ય જ જગતના એકલા નિમિત્તકારણ તરીકે ઈશ્વરને સ્વીકારતા નથી પરંતુ તેઓ કહે છે ઈશ્વર નિમિત્તકારણ છે તે જ રીતે ઉપાદાન કારણ પણ છે. એનામાં બંને કારણે સાથે રહેલાં છે. એ રીતે એ પિતે નિમિત્તકારણ તેમજ ઉપાદાનકારણ હોવા છતાં એ બંને કારણમાં કઈ જાતને ભેદ પડતું નથી, માટે વિદ્વાને પરમેશ્વરને જગતનું અભિન્ન નિમિત્તોપાદન કારણ કહે છે. તાત્પર્ય એ છે કે–ઈશ્વર જગતનું કારણ છે, ઈશ્વર જગત-સ્વરૂપે બને છે. ઈશ્વરથી જગત ભિન્ન નથી, આથી એ સિદ્ધ થાય છે કે જગત ઈશ્વરનું પરિણામ છે. ઈશ્વર પિતે જ આ જગત-સ્વરૂપે પરિણમે છે, એમ છતાં ઈશ્વરમાં કઈ પણ જાતને વિકાર આવતે જ નથી કારણ કે ઈશ્વર સર્વ વિકારોથી પર રહેલો છે. એ કારણથી જગત એ ઈશ્વરનું અવિકૃત પરિણામ છે અને તેથી એ વાદને અવિકૃત પરિણામવાદ કહેવામાં આવ્યો છે, જેમાં ઈશ્વર જગતરૂપે પરિણમતે હેવા છતાં એનામાં જગત સંબંધી કેઈપણ જાતને વિકાર સંભવ નથી. જગ ત ઈશ્વ રકૃતિ છે સંસાર માનવકૃત છે તે આ સંપ્રદાયનું વિશેષ કથન છે. જ્યારે આ સંપ્રદાયમાં સન્યાસ લેવામાં આવતું નથી તેથી વંશ પરંપરાગત ગાદીએ આચાર્યો આવે છે. આ સંપ્રદાયને ગુજરાતમાં વધુ પ્રચાર છે. આને ગુજરાતમાં હવેલી સંપ્રદાય તરીકે પણ ઓળખાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy