Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 228
________________ ષડૂદન સુબેાધિકા : ૨૧૧ કરણીય કાર્ય છે યથા સધ્યાવંદન આદિ નિત્ય ક્રમ છે અને અવસર વિશેપ ઉપર અનુષ્ઠેય શ્રાદ્ધાદિકમ છે તે નિત્ય નૈમિ ત્તિક કર્મ કહેવાય છે. આ ત્રીજા પ્રકારના કર્મ કરવાથી દુરિત ક્ષય થાય છે અને ન કરવાથી પ્રત્યવાય પાપ ઉત્પન્ન થાય છે. જો કે પ્રભાકરના મતે નિત્ય નૈમિત્તિક કમ નિષ્કામ કર્મ છે. કારણ કે વેદમાં કહેલ હેાવાથી કરવા જોઈએ, કોઈ પણ ફળની આશાથી નહીં. મીમાંસકેનું માનવું છે કે પ્રત્યેક કમ માં અપૂત્ર ( પુણ્યપાપ) ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી હોય છે. કથી અપૂ થાય છે અને અપૂર્વથી ફળ મળે છે. અપૂર્વની કલ્પના સીમાંસકાની આગવી કલ્પના જણાય છે. ક્રમમીમાંસાના મુખ્ય ઉદ્દેશ પ્રાણીવેદ દ્વારા પ્રતિપાતિ અભી સાધક કાર્યો કરે અને પોતાનુ વાસ્તવિક કલ્યાણ પ્રાપ્ત કરી યજ્ઞ યાગાદિમાં કાઇ દેવતા વિશેષને ધ્યાનમાં રાખીને આહુતિ આપવામાં આવે છે. દેવતા મંત્રાત્મક હોય છે અને દેવતાએની પૃથક્ સત્તા તે મત્રાને છેડીને ભિન્ન હૈાતી નથી. નિષ્કામ કર્મીની શિક્ષા મીમાંસા દર્શન આપે છે. વૈદિક કર્મોનું ફળ છે સ્વગ પ્રાપ્તિ જ્યાં નિરતિશય સુખની પ્રાપ્તિ થાય છે. અહીંયા સ્વગ એટલે મેાક્ષ સમજવાનુ છે. કારણ કે નિરતિશય સુખની પ્રાપ્તિ નિષ્કામ ધર્માચરણુ તેમજ આત્મજ્ઞાનને લીધે જ થાય છે. પ્રાચીન મીમાંસામાં ઇશ્વરને કુળ દાતા માનવામાં આવેલ નથી, કિન્તુ વેદાન્તદેશિકે સેશ્વર મીમાંસા નામક ગ્રંથ લખી ઈશ્વરની સત્તા માનેલ છે. આથી ઇશ્વરને યજ્ઞપતિના રૂપમાં સ્વીકારેલ છે, અને તેથી જ યજ્ઞો થૈ વિષ્ણુ: કહેવામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250