Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 243
________________ ૨૨૬ ષડ્રદર્શન સુબેધિકા પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય. દરેક પરમાણુઓના સામાન્ય ગુણ અને વિશેષ ગુણ ભિન્ન ભિન્ન હોય છે. પુનર્જન્મ અને મેશ–પુનર્જન્મને સિદ્ધાંત આસ્તિક દર્શનમાં વાદવિવાદ વિના માની લેવામાં આવ્યું છે. મહર્ષિ કણુદ પુનર્જન્મનું પ્રતિપાદન કરતા કહે છે કે-હર્ષ, ભય અને શેક કોઈને કોઈ કારણથી ઉત્પન્ન થાય છે. સદ્યઃ જાત શિશુના મુખ પર જે હર્ષ, ભય કે શક સૂચક વિકાર દષ્ટિગોચર થાય છે, તેનું કારણ પૂર્વજન્મને અભ્યાસ છે. પૂર્વ મૃતિના સંસ્કાર વશ જ શિશુમાં આવા ભાવ જોવા મળે છે. કદાચ કોઈ કહે કે એ ભાવે સ્વાભાવિક છે તે કણાદ મુનિ કહે છે કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. આ નિયમાનુસાર વિવિધ ભાવોનું કઈ પણ કારણ હોવું જરૂરી છે. આ વિશેષ કારણ છે પૂર્વ જન્મને અભ્યાસ. પૂર્વ અભ્યાસથી જ સ્મૃતિ સંસ્કાર બને છે. દેહાંતર પ્રાપ્ત થયા પછી કેવલ પ્રબલતમ સંસ્કાર જ સૂફમરૂપથી પુનઃસજજીવિત થાય છે. આથી પુનર્જન્મ અને આત્મા નિત્ય છે. નિષ્કામ કર્મના આચરણથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જે પરિણામે મેક્ષદાયી બને છે. મેક્ષની કલ્પના ન્યાય દર્શન જેવી જ છે. અર્થાત્ સમગ્ર દુરને નાશ તેનું નામ મેક્ષ. જ્યારે સંચિત કર્મ તથા પ્રારબ્ધ કર્મનું ફળ સમાપ્ત થઈ જાય છે અને નવા કર્મની ઉત્પત્તિ થતી નથી, ત્યારે પુનજન્મ થતું નથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સંક્ષેપમાં, તત્વ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250