________________
- વળી શું બન્યું ! છે. બને શું! બારોટની તુંડમિજાજી દિવસે દિવસે વધતી જાય છે. હું જોયા કરું છું કે આ લોકો સમજી જશે. પેઢી પણ કોઈ નિકાલ નથી લાવી શકતી. ગઈ કાલે તે એક પ્રસંગ બની ગયે.' | ‘શું બન્યું ?” - “અમે યાત્રાર્થે ગયેલા. શ્રી દીપવિજયજી મારી સાથે હતા. બારોટએ શ્રી પુંડરિકજીના મંદિરમાં પાટલા બીછાવી દીધા. ઊભા રહેવાની જગ્યા નહતી. અમે તે જોઈ ન શકયા. પાટલા ઉપડાવી લીધા અને બારેટે છેડાયા. તેઓ ગમે તેમ બકવા લાગ્યા અને શ્રી દીપવિજ્યજી મહારાજને ધમકી આપી.” - પછી?”
પછી ? મારાથી તો એ અપમાન અસહ્ય હતું પણ મંદિરમાં નકામો ઝગડો થાય તેથી અમે ચાલ્યા આવ્યા પણ બારોટો ગુસ્સામાં હતા અને દીપવિજયજીને મારવાની ધમકી આપતા હતા.”
તે તમે કાલે ન જશે! કજીયાનું મોં કાળું. પેઢીવાળા લડી લેશે ને બધું થઈ રહેશે.”
ના સાહેબ! એમ ડરવાનો શો અર્થ? આપણે યાત્રાર્થે તો જવું જ જોઈએ. '
નિર્ભયતાના અવતારમાં બીજે દિવસે ઉપડયા યાત્રાર્થે. યાત્રા કરીને પાછા આવતા હતા ત્યાં સાંભળ્યું કે ૪૦-૫૦ બારોટ તોફાન કરવા આવ્યા છે. ર૭]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com