Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 42
________________ અંજાર થઈ ભચાઉ આવ્યા. અહીં સંગ્રહણી થઈ ગઈ. આરામ થયા પછી સામખીયાલી આવ્યા. અહીં મૂર્તિપૂજકના પાંચ ઘરમાંથી ૬૦ ક્યોં. મંદિર પણ થઈ ગયું પણ અહીં ફરી સંગ્રહણું શરૂ થઈ. તબિચત તો ખરાબ હતી, આરામની ખાસ જરૂર હતી, પણ પાલીતાણાની પરિસ્થિતિએ તેમને બેચેન બનાવી દીધા. પિતાની પ્રિય સંસ્થાની પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં આરામ ક્યાં? તેઓશ્રી રણ ઓળંગી માળીયા આવ્યા. માળીયાના ઠાકોરે મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લીધા. જૈન સાધુ અને જૈન ધર્મ માટે ઠાકર સાહેબને ખૂબ માન થયું. ધર્મકાર્ય કરવા ભાવના બતાવી. મહારાજશ્રીએ જોયું હતું કે કચ્છનું રણ ઓળંગી આવતા મુસાફરોને પાણી મળતું નહતું. કેટલાય મુસાફરો પાણી પાણુ કરતા મૃત્યુને મમાં ધકેલાઈ જતા. ગરમીના દિવસોમાં તો પાણીની ટીયું ન મળે. મહારાજશ્રીએ આ પૂણ્યકાર્ય કરવા ઠાકોર સાહેબને સમજાવ્યું અને મુસાફરે અંગે સુંદર જળ અને ભૂખ્યા પેટને ગાળ-દાળી મળે તેવી વ્યવસ્થા થઈ ગઈ હજારો વટેમાર્ગુઓ આજે પણ એ લાભ લઈ રહ્યા છે. તેઓએ શિકાર અને દારૂનો ત્યાગ કર્યો અને પિતાની પૂજામાં જિનવરની મૂર્તિ પધરાવી. અહીંથી વિહાર કરી ચૈત્ર સુદ ૧૧ના રોજ પુનઃ પાલીતાણા પધાર્યા. કર] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60