Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 318
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૨૭ ૨૮૧ સર્વે પણ દ્રવ્યોને સંસારમાં રહેલા સર્વે પણ પ્રમેયોને) (મન એટલે) અનેકાન્ત સ્વરૂપે સમજાવે છે. કારણ કે સર્વે પણ પ્રમેયોનું સ્વરૂપ આ જ પ્રકારે અનેકાન્તાત્મક જ છે. જે પ્રમેયતત્ત્વ જેવું હોય તે પ્રમેયતત્ત્વને તેવું સમજાવવું. આ જ અનેકાન્તદષ્ટિનું કાર્ય છે. જેમ દર્પણનું કાર્ય જ એવું છે કે સામે જે પદાર્થ જેવો હોય તે પદાર્થને તેવો જણાવવો. તેની જેમ આ દૃષ્ટિ પણ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાવનારી હોવાથી દર્પણ સમાન છે. અનેકાન્ત દૃષ્ટિ એટલે દર્પણ (કાચ-અરિસો). આવી યથાર્થ અને સાચી આ દૃષ્ટિને જ નય અને પ્રમાણ કહેવાય છે. વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપને સમજાવનારી જે જ્ઞાનદશા તે જ દૃષ્ટિ છે. તે જ આંશિક હોય ત્યારે નય છે અને તે જ પરિપૂર્ણ હોય ત્યારે પ્રમાણ છે. આટલા માટે જ તીર્થંકર પરમાત્માઓ “જ્ઞાન” જ પ્રમાણ અને નય કહે છે. પ્રમાણ એ પરિપૂર્ણ રૂપ છે. અને નય એ એક અંશરૂપ છે. તથા વળી આ નય અને પ્રમાણ વસ્તુ તત્ત્વને સમજાવનારું એક પ્રકારનું જ્ઞાન જ છે તેને જ દ્રષ્ટિ કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે યથા મનના = અનેકાન્તો મન = સર્વવતૂન તતત્ત્વમવિતા ज्ञापयति, तथा भजनाऽपि = अनेकान्तोऽपि भजनीयः अनेकान्तोऽप्यनेकान्त इत्यर्थः । नयप्रमाणापेक्षया "एकान्तश्चानेकान्तश्च'' इत्येवं ज्ञापनीयः । एवं च भजना = अनेकान्तः सम्भवति नियमश्च = एकान्तश्च सिद्धान्तस्य "रयणप्पहा सिआ सासया सियाऽसासया" (जीवाभिगम ३-१-७८) इत्येवमनेकान्तप्रतिपादकस्य "दव्वट्ठयाए सासया, पज्जवट्ठयाए असासया" इत्येवं चैकान्ताभिधायकाविरोधेन । મિથ્યાત્વમોહના ઉદયને કારણે વસ્તુસ્વરૂપને સમજવામાં જે કોઈ પણ એક બાજુ એકાન્ત દૃષ્ટિ ઢળી ગઈ હોય છે. તેની સામે આ અનેકાન્તમય દૃષ્ટિ એ પડકારરૂપ દૃષ્ટિ છે. જેમ કે બૌદ્ધદર્શન સર્વ વસ્તુઓને ક્ષણિક માને છે. વસ્તુમાં પ્રતિસમયે પર્યાયો જરૂર બદલાય છે. પરંતુ તેના તરફ જ દૃષ્ટિ ઢળી હોવાથી તેઓને દ્રવ્ય અને પર્યાય એમ બન્ને અનિત્ય-અસ્થિર નાશવંત જ દેખાય છે. તથા નૈયાયિક - વૈશેષિક આદિ દર્શનકારો પરમાણુ અને આત્મા વિગેરે પદાર્થોને નિત્ય જ માને છે વસ્તુ પોતે અનાદિકાળથી છે અને અનંતકાલ રહેવાવાળી છે. આમ દ્રવ્ય તરફ ઢળેલી દૃષ્ટિ હોવાથી તેઓને નિત્ય જ દેખાય છે. પર્યાયો તરફ ઉપેક્ષાબુદ્ધિ છે. આ જ રીતે કોઈ દર્શનકારોને દ્રવ્યથી ગુણ, દેહથી આત્મા એકાન્ત ભિન્ન જ જણાય છે. આ બધી એકાન્તભેદ તરફ ઢળેલી દૃષ્ટિ છે. અને કોઈને આ જ તત્ત્વ અભિન્ન જ જણાય છે. દ્રવ્યાત વાદીઓને સર્વે દ્રવ્યો દ્રવ્યસ્વરૂપે સમાન હોવાથી સર્વદ્રવ્યો એક જ છે આમ સામાન્ય જ જણાય છે. આ રીતે જે જ્ઞાતા અને વક્તાની દૃષ્ટિ મિથ્યાત્વ મોહના ઉદયને કારણે એકબાજુ જ વધારે ઢળી ગઈ હોય. તેની સામે આ અનેકાન્તદૃષ્ટિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434