Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 339
________________ કાડ-૩ – ગાથા-૩૪ ૩૦૨ સન્મતિપ્રકરણ પ્રયત્નજન્ય સમુદાયકૃતવિનાશ ઘટ-પટ-ઘર આદિ બાદર સ્થૂલસ્કંધોમાં જ બને છે કારણ કે પ્રાણીઓના પ્રયત્નથી તેને જ તોડી ફોડીને નાશ કરી શકાય છે. તેના બે ભેદ છે. એક અવયવોનું વિખેરાઈ જવું. સ્કંધરૂપે બનેલા અંશોનું છુટા પડવું. તે વિભાગ જાત વિનાશ કહેવાય છે. જેમ કે ઘણ-પત્થર આદિથી ઘટને ભાંગવો, કાતરથી પટને (વસ્ત્રને) છેદવું, શસ્ત્રોથી ઘરને પાડવું - આ બધા વિનાશ પ્રાણીના પ્રયત્નથી જન્ય છે અને અવયવોના વિખેરાવા રૂપ છે. તેથી વિભાગજાત સમુદાયકૃતપ્રયત્નજન્ય વિનાશ કહેવાય છે. નાશનો આ પ્રથમ ભેદ થયો. તથા કડુ ભાંગીને કુંડલ બનાવવું, દૂધ જમાવીને દહીં બનાવવું, માખણ ગરમ કરીને ઘી બનાવવું આવા ઉદાહરણોમાં કડાનો, દૂધનો અને માખણનો જે નાશ થાય છે તે વિનાશ ઘટ-પટ ભાંગવાની જેમ અવયવોના વિખેરાવા રૂપ વિનાશ નથી. પણ બીજા પદાર્થ રૂપે રૂપાન્તર થવાપણે અર્થાત્ કુંડલ-દહીં અને ઘી પણ બનવા સ્વરૂપે પૂર્વ અવસ્થાનો વિનાશ છે. તેથી આવા વિનાશને અર્થાન્તરભાવગમન રૂપ સમુદાયકૃત પ્રયત્નજન્ય વિનાશ કહેવાય છે. પ્રાણીના પ્રયત્નથી થાય છે માટે પ્રયત્નજન્ય, સ્કંધોમાં આ વિનાશ છે માટે સમુદાયકૃત અને એકઅવસ્થામાંથી બીજી અવસ્થારૂપે અર્થાન્તર થાય છે. તેથી અર્થાન્તર ભાવગમન વિનાશ કહેવાય છે. ઘડાની જેમ અવયવો છુટા પડી જઈને વસ્તુનો નાશ થતો નથી. તેથી આ નાશને વિભાગ જાત એવો નાશ કહેવાતો નથી. પણ અર્થાન્તરભાવગમનરૂપ સમુદાયકૃત પ્રયત્નજન્ય વિનાશ કહેવાય છે. વિનાશનો આ બીજો ભેદ થયો. આ પ્રમાણે પ્રયત્નજન્ય સમુદાયકૃત વિનાશ સમજાવીને હવે વિશ્રસાજન્ય વિનાશ સમજાવે છે. હવે વિશ્રસાવિનાશમાં જે પ્રથમ સમુદાયકૃતવિનાશ છે ત્યાં ઉપર પ્રમાણે જ બે ભેદ છે. વાદળાંનું વિખેરાવું, પહાડની શીલાઓનું સ્વયં પડવું-ભાંગવું-તુટવું, મેઘધનુષ્યનું વિખેરાઈ જવું. આ બધા વિનાશો પ્રાણીના પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ પારિણામિકભાવે જ થાય છે. તેથી વિશ્વસા છે. તથા અનેક અવયવોના સમુદાયમાં આ વિનાશ થાય છે. તેથી સમુદાયકૃત છે તથા તેવા તેવા અવયવો વિખેરાવાથી આ વિનાશ થાય છે. તે માટે વિભાગજાત વિનાશ છે. આ રીતે આ વિનાશ “વિભાગજાતસમુદાયકૃતવિશ્રસા” કહેવાય છે. વિનાશનો આ ત્રીજો ભેદ છે. તથા વળી વિશ્રામાં જ્યાં અવયવોનો વિભાગ થયા વિના જ પૂર્વ અવસ્થાનો વિનાશ થઈને નવી અવસ્થા સ્વરૂપે દ્રવ્ય બનતું હોય ત્યારે અર્થાન્તરવિનાશ કહેવાય છે. જેમ કે, બરફનું ઓગળીને પાણી થવું, રાંધેલ ભોજનમાં સ્વાદિષ્ટતાનો નાશ થઈને ચલિતરસનું થવું, ફ્રીજમાં ઘણી શીતળતાથી પાણીનું બરફરૂપે થવું, ઘણી શીતળતાથી તળાવોના પાણીનું જામી જવું વિગેરે. આ સઘળા વિનાશમાં અવયવોના વિભાગ થતા નથી પણ આખું દ્રવ્ય જ રૂપાન્તર થઈ જાય છે. તેથી આવા વિનાશને વિભાગજાત વિનાશ ન કહેતાં અર્થાન્તરગમન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434