Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 370
________________ ૩૩૩ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૪૩-૪૪ ટીકાનો પાઠ - વસ્તુથHUામસ્તિત્વીવીનામું આસમતત્િ વાઃ = તપ્રતિપાલા; आगमः अहेतु-हेतुवादभेदेन द्वैविध्यं प्रतिपद्यते । प्रमाणान्तरानवगतवस्तुप्रतिपादक आगमोऽहेतुवादः, तविपरीतस्त्वसौ हेतुवादः, "हिनोति-गमयति, अर्थमिति हेतुः, तत्परिच्छिन्नोऽर्थोपि हेतुः तं वदति य आगमः सः हेतुवादः । यस्तु वस्तुस्वरूपप्रतिपादकत्वेऽपि तविपरीतोऽसावहेतुवादो दृष्टिवादात् प्रायेणान्यः । આ બન્ને એકાન્તવાદોને (અને તેઓના કલેશને) દૂર કરવા માટે અને પરસ્પર સમન્વય સાધવા માટે ગ્રંથકારશ્રી આ બન્ને વાદોમાં “સાપેક્ષતા” ઉમેરી અનેકાન્તાત્મક બનાવી પરસ્પર સમન્વય (અકલેશવૃત્તિ) સાધતાં જણાવે છે કે આ સંસારમાં કેટલાક ભાવો શ્રદ્ધાપ્રધાન છે અને કેટલાક ભાવો બુદ્ધિપ્રધાન છે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષના અને અનુમાનાદિ પ્રમાણના વિષયભૂત જે જે ભાવો છે તે સઘળા ભાવો તર્કનુસારિણી બુદ્ધિથી ગમ્ય છે. તે માટે તે ભાવોને જાણવા “બુદ્ધિ” ને પ્રધાન કરવી જોઈએ. અને તર્કનુસારિણી તે બુદ્ધિથી તેવા તેવા ભાવોને જાણવા જીવે પ્રયત્ન કરવો જોઈએ તથા જ્યાં જ્યાં ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ અને અનુમાનાદિ છાઘસ્થિક જ્ઞાનો પહોંચી શકતાં નથી અને માત્ર કેવલજ્ઞાનથી જ ગમ્ય જે ભાવો હોય છે. તેવા ભાવોને જાણવા માટે છવચ્ચે “બુદ્ધિ” લગાડવી જોઈએ નહીં કારણ કે ત્યાં બુદ્ધિ પહોંચી શકવાની જ નથી તેથી તેવા વિષયમાં સર્વજ્ઞ પરમાત્મા ઉપરની શ્રદ્ધા રાખીને તેને જ પ્રધાન કરવી જોઈએ. જેથી વિરોધ વધવાને બદલે વિરોધ શમી જાય છે. શ્રદ્ધાયુગના મનુષ્યો શ્રદ્ધાને જ આગળ કરીને બુદ્ધિવાદની સામે બળવો પોકારી તેની પ્રવૃત્તિનો વિરોધ કરે છે. તેવી જ રીતે બુદ્ધિયુગના મનુષ્યો બુદ્ધિને જ પ્રધાન કરીને “એમ કંઈ સમજ્યા વિના માની લેવાતું હશે?” તમે અમને સમજાવો, પુરાવો આપો. તો જ અમે માનીએ. આમ કહીને શ્રદ્ધા વાદની સામે બળવો કરી તેની પ્રવૃત્તિનો વિરોધ કરે છે પરંતુ માત્ર શ્રદ્ધાવાદી થવું કે માત્ર બુદ્ધિવાદી થવું તે બન્ને વસ્તુતત્ત્વને જાણવામાં અપૂર્ણ અંશો છે. જગતમાં સ્વત:સિદ્ધ કેટલાક ભાવો જ એવા હોય છે કે જે અમુક ભાવો શ્રદ્ધાથી જ સ્વીકારાય અને અમુકભાવો બુદ્ધિથી (તર્કથી) સ્વીકારાય. તે બન્ને ઉપર સિદ્ધાન્તકારશ્રી એક એક સુંદર ઉદાહરણ આપે છે. (૧) મોક્ષે જવાને યોગ્ય હોય તે ભવ્ય અને મોક્ષે જવાને અયોગ્ય હોય તે અભવ્ય, આમ જૈનશાસ્ત્રોમાં ભવ્ય-અભવ્ય એમ જીવોની બે જાત જણાવવામાં આવી છે. ભવ્યતા અભવ્યતા એ પારિણામિક ભાવ હોવાથી કર્મકૃત કોઈ લક્ષણો કે બાહ્યદૃષ્ટિથી ગોચર થાય તેવાં કોઈ લક્ષણો શાસ્ત્રમાં જણાવ્યાં નથી. તેથી બધા જીવો ભવ્ય કેમ નહીં? બધા જીવો અભવ્ય કેમ નહીં? આ જીવ ભવ્ય અને આ જીવ અભવ્ય એમ ભેદ કેમ? આ ભેદ કોણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434