Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 400
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૫૬-૫૭ ૩૬૩ पर्वतो वह्निमान्, धूमात्, महानसवत्, यत्र यत्रः धूमः, तत्र तत्र वह्निः, यथा महानसम् इत्यन्वयव्याप्तिः । यत्र यत्र वक़्यभावः, तत्र तत्र धूमाभावः । यथा जलहूदः । इति व्यतिरेक વ્યાતિ: આ એક પ્રસિદ્ધ અનુમાન છે. પર્વત નામના પક્ષમાં “વહ્નિ' નામનું સાધ્ય સધાય છે મહાનસનું ઉદાહરણ સાધર્મ્યુદર્શક છે અને જલદનું ઉદાહરણ વૈધર્ખદર્શક છે. સામાન્યથી કોઈ પણ વાદી પર્વતમાં ધૂમ દેખીને જ્યાં ધૂમ હોય છે ત્યાં વહ્નિ અવશ્ય હોય જ છે. એવા સાધર્મ્સથી પર્વતમાં વહ્નિ છે જ. એમ સિદ્ધ કરે છે. પણ જો હૃદયમાં અનેકાન્તદૃષ્ટિ રાખીને વતિ સિદ્ધ કરે તો તો કોઈ દોષ આવતો નથી. કારણ કે પર્વતમાં વતિ છે ખરો પણ ત્યાં પર્વતીય જ વહ્નિ હોવાથી કથંચિત્ જ વતિ છે. કારણ કે પર્વતીય વહ્નિ જ છે. ઈતરવહ્નિ નથી. સંયોગસંબંધથી જ છે. ઈતરસંબંધથી ત્યાં વહ્નિ નથી. એક ખીણમાં જ (એક ભાગમાં જ) વહ્નિ છે. આખા પર્વત ઉપર સર્વત્ર વહ્નિ નથી. તેથી અનેકાન્ત દૃષ્ટિ રાખ્યા વિના જો એકાન્તદષ્ટિ રાખીને સાધ્ય એવા વહ્નિ નામના અર્થને સાધે તો તે વાદી રાજસભામાં અથવા મિત્રો સાથેની ધર્મચર્ચામાં અવશ્ય હાર જ ખાય છે. કારણ કે પર્વત ઉપર ધૂમ હોવા છતાં પણ માત્ર સંયોગ સંબંધથી જ ત્યાં વતિ છે. પણ સમવાયસંબંધથી ત્યાં વતિ નથી. કારણ કે સમવાયસંબંધથી તો વહ્નિ કાષ્ટ અને ઈન્ધનમાં જ હોય છે. ઉપાદાન કારણમાં જ હોય છે. એટલે પર્વતમાં ધૂમ હોવા છતાં સમવાય સંબંધથી વહ્નિ નથી. એટલે કથંચિત્ જ વહ્નિ છે. (આ દોષ દૂર કરવા માટે એકાનદષ્ટિવાળા નૈયાયિકોને “સાધ્યતા વચ્ચે સમ્બન્ધાdછન્ન” પદ ઉમેરવું પડે છે.) તથા તે જ પર્વત ઉપર ધૂમ હોવા છતાં તેના સાધચ્ચેથી ત્યાં માત્ર પર્વતીય જ વતિ છે. મહાનસીયાદિ ઈતરવતિ નથી. એટલે ધૂમ હોવા છતાં ઈતરવહ્નિનો તો અભાવ જ છે. એમ સિદ્ધ થાય છે. તેથી મહાનસીય વતિ આદિ ઈતર સકલ વહ્નિ ત્યાં છે એમ સિદ્ધ થતું નથી. (આ દોષ દૂર કરવા તૈયાયિકોને આધ્યતિવિષેથર્નાવચ્છિન્ન પદ ઉમેરવું પડે છે.) તથા પર્વત ઉપર ધૂમ ઉડી ઉડીને અનેક શિખરો ઉપર દેખાય છે. જ્યારે વહિં સર્વત્ર હોતી નથી. માત્ર ખીણવાળા ભાગમાં જ હોય છે. તેથી પણ “જ્યાં ધૂમ ત્યાં વહ્નિ” આ સાધર્મ સિદ્ધ થતું નથી. (આ દોષ ટાળવા નૈયાયિકોને વૈધરાવચ્છિન્ન પદ ઉમેરવું પડે છે) તથા ધૂમના જે કણો (ધૂમના જે અવયવો) છે તે અવયવોમાં વહ્નિ નથી પણ સમવાયસંબંધથી અવયવી એવો ધૂમ તો છે. ત્યાં પણ ધૂમ હોવા છતાં વહ્નિ નથી માટે સાધર્મે સિદ્ધ થતું નથી (આ દોષ નિવારવા નૈયાયિકોને “તુતાવછે સમ્બન્યાવચ્છિન્ન” આ પદ ઉમેરવું પડે છે.) “ધૂમ હોય ત્યાં વહ્નિ છે જ” આવા પ્રકારની એકાન્તદૃષ્ટિ રાખીને ધૂમહેતુ દ્વારા સાધર્યુવડે વહિની સિદ્ધિ કરવા જતાં આવા અનેકદોષો આવે છે અને છેવટે તે તે દોષોના નિવારણ માટે નવાં નવાં અનેકપદો ઉમેરીને ઘણાં પુંછડાંવાળું લાંબું લાંબુ હેતુવાચી પદ બનાવવું પડે છે અને છતાં દોષ તો રહે જ છે. તે માટે આવી એકાદૃષ્ટિનો ત્યાગ કરી જો અનેકાન્તદષ્ટિ રાખવામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434