Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 390
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૫૩ ૩૫૩ કાલાદિ પાંચમાંના કોઈ એક એકને જ કારણ માનીને બીજાં કારણોનો અપલાપ કરનારાં ઘણાં દર્શનો છે. આ જગતમાં મિથ્યા માનનારાઓનો તોટો જ ક્યાં છે ? જેમ નટવૈયાને નાચવાના અનેક પ્રકારો હોય છે. તેમ મિથ્યાત્વમોહ નામનો રાજા આ સંસારી જીવોને નટવૈયાની જેમ અનેક મિથ્યા માન્યતાઓ દ્વારા નાચ નચાવે છે. તે જ દર્શનવાદ છે. આવા પ્રકારની એકાન્ત માન્યતા ધરાવનારાં અનેક દર્શનો છે. તે સઘળાં દર્શનો એકાન્તવાદવાળાં હોવાથી મિથ્થારૂપ છે. તેમાંના એક એક એકાન્તવાદીનું કહેવું આ પ્રમાણે છે - (૧) કાલૈકાન્તવાદી - બધાં કાર્યો કાલકારણથી જ થાય છે. કાલ જ સર્વનું કારણ છે. ઠંડી, ગરમી, વરસાદ પોત પોતાના કાળે જ (શીયાળામાં - ઉનાળામાં અને ચોમાસામાં જ) આવે છે. દરેક જાતનાં ફળો તથા શાકભાજી પોત પોતાના ઋતુકાળે જ આવે છે. ગર્ભાધાનાદિ કાર્યો યુવાવસ્થાના કાળે જ થાય છે યોગ્યકાળે જ ચંદ્ર-સૂર્ય ઉગે છે અને આથમે છે. આ બધાં દષ્ટાન્નો જોતાં કાળ જ સર્વકાર્યનું કારણ છે. આમ કહીને કાલવાદી કાલને જ કારણ જણાવે છે. અને બીજાં કારણો દેખાતાં હોવા છતાં તે વાદી બીજાં કારણોનો અપલાપ કરે છે. (૨) સ્વભાવેકાન્તવાદી - બધાં જ કાર્યો ફક્ત સ્વભાવ નામના કારણથી જ થાય છે. સ્વભાવ એ જ કાર્યમાત્રનું કારણ છે. જેમ કે કાંટાઓ અણીદાર કેમ ? ફુલો કોમળ કેમ ? ચંદ્ર શીતળ અને સૂર્ય ઉષ્ણ કેમ? પશુઓ ભૂમિ ઉપર જ ચાલે, માછલાં - દેડકાં પાણીમાં જ ચાલે અને પક્ષીઓ આકાશમાં જ ઉડે આમ કેમ ? અગ્નિ બાળે અને પાણી ઠારે આમ કેમ ? જવાબ એક જ છે. તેનો તેનો તેવો તેવો સ્વભાવ. માટે સ્વભાવ જ સર્વકાર્યનું કારણ છે. સ્વભાવવાદીને એક સ્વભાવ જ કારણ દેખાય છે. (૩) નિયતિવાદી - સંસારમાં જે કાંઈ થાય છે અને થશે તે સઘળું ય નિયતિને આધીન છે. નિયતિ વિના બીજુ કોઈ જ કારણ નથી. નિયતિ એટલે ભાવિભાવ. “આમ થવાનું જ અવશ્ય નિયત છે. અત્યન્ત નિશ્ચિત. ભાવિમાં જે થવાનું હોય તે જ થાય છે. તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. અને જે ન થવાનું હોય તેને કોઈ કરી શકતું નથી. રામચંદ્રજીને દશરથ રાજા જ (એટલે કે પોતાના પિતા જ) રાજ્ય આપવાના હતા, વસિષ્ઠ ઋષિ જેવા મહાજ્યોતિષી મૂહુર્ત જોનારા હતા. છતાં તે જ મૂહુર્ત રાજ્યને બદલે વનવાસ મળ્યો. સ્ત્રી સંબંધી કલેશને કારણે લંકાનો નાશ થશે એમ મહાજ્યોતિષીઓએ કહ્યું હતું. બિભીષણ આદિ અનેક મહારથીઓએ તે રોકવા પ્રયત્ન પણ કર્યો. છતાં અંતે તેમ જ થયું. માટે ભાવિના લેખ જે લખાયા હોય છે તેમ જ થાય છે. તેથી નિયતિ જ સર્વ કાર્યનું કારણ છે. એકાન્ત નિયતિ વાદીને આમ જ દેખાય છે. (૪) પૂર્વકૃત કર્મ - આ સંસારમાં સર્વે પણ કાર્યો પૂર્વે કરેલા કર્મ પ્રમાણે જ થાય છે. પૂર્વે કરેલું કર્મ જ સર્વનું મૂલ છે. ગયા ભવથી આ જીવ જન્મે છે ત્યારથી જ પૂર્વસંચિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434