Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 223
________________ ૨૧e. સમ્યકત્વ કૌમુદી-પશ્રીની કથા. " तत्त्वानि व्रतधर्मसंयमगतिज्ञानानि सद्भावनाः, प्रत्याख्यानपरीपहेंद्रियमदध्यानानि रत्नत्रयम् । लेश्यावश्यककाययोगसमितिमाणाः प्रमादस्तपः, સંજ્ઞાર્મા પુતિરાયા યાર સુધીમાં સ” શા તત્વ, વ્રત, ધર્મ, સંયમ, ગતિ, જ્ઞાન, સદભાવના, પ્રત્યાખ્યાન, ૨પરિષહ, પઈદ્રિય, મદ, ધ્યાન, વરત્નત્રય, કલેશ્યા આવશ્યક, કાય, ઉગ, અસમિતિ, પ્રાણ પ્રમાદ, તપ, સંજ્ઞા, કર્મ, કષાય, ગુપ્તિ, અને અતિશયએ સુજ્ઞ પુરૂષને સદા જાણવા અને વિચારવા એગ્ય છે.” રાજાએ પિતાના નિધાનની જેમ આ આકાશગામી અશ્વ સંભાળ રાખવા પરેપકારમાં પ્રસિદ્ધ એવા તે શેઠને સેં. આ અશ્વના સાનિધ્યથી તે વિવેકી શ્રેષ્ઠીએ અનેક તીર્થોમાં અનેકવાર જિનવંદન કરીને પોતાના સમ્યકત્વને નિર્મળ કર્યું, જન્મનું ફળ મેળવ્યું, ઉચ્ચ ગોત્રનું કર્મ બાંધ્યું અને શિવલમીને વશ કરી. એવામાં પલ્લીપતિ રાજાના કેઈ પાપી સુભટે આવીને ધર્મધૂર્તતાથી તેના ઘરમાંથી આ અશ્વનું હરણ કર્યું. પણ એ અશ્વના સ્વરૂપને ન જાણવાથી તેના મર્મસ્થાનમાં તેણે ચાબુક પ્રહાર કર્યો, એટલે તેને તરત જમીન પર પાડીને એ અશ્વ અહીં આવી ઉભો રહ્યો. પૂર્વના અભ્યાસથી આ પશુ પણ અહીં પર્વત પર આવ્યું. માટેજ પ્રાણીઓએ નિરંતર સદભ્યાસ કરે. આ અશ્વ નિમિત્તે અત્યારે રાજા પોતાના કેટવાળ વિગેરે માણસો દ્વારા તે શેઠને દુઃખ દે છે, માટે હવે તમારે તરત તેની પાસે જવું યોગ્ય છે. કારણ કે સર્વ ધર્મ કરતાં સાધર્મિક વાત્સલ્ય શ્રેષ્ઠ છે. શક્તિ છતાં જે સાધમને સહાયન કરે, તે વસ્તુતઃ સર્વજ્ઞ ધર્મને સારજ સમજ્યા નથી. કહ્યું છે કે – “ તે પ્રત્યે સંવ સામાં, તે વિના મુરા साहमियाण कज्जमि, जं वच्चंति सुसावया" ॥१॥

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246