Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 119
________________ ૧૦૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પાર્શ્વજિનેશ્વરના ચૈત્યની રચના કરાવી. ત્યાં વલાનકમાં ગજરૂઢ, રજતપુષ્પમાલાધારી માતા કુમારદેવીની પ્રતિમા મુકાવી. નગર ફરતો વિવિધભંગી વપ્ર (દુર્ગ) કરાવ્યો. રેવોર્સંગમે (વરધવલના નામથી ?) વીરેશ્વર દેવનું મંદિર કરાવ્યું. કુંભેશ્વર તીર્થમાં સંપસ્વી મંડપ કરાવ્યો. અત્યારે તો ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવ કે પાર્શ્વનાથના મંદિરનો પત્તો નથી. વૈદ્યનાથ મંદિર સામે જે જૈનમંદિર હશે, કદાચ તેના અવશેષો ત્યાંના મહાલક્ષ્મીના નવા મંદિરમાં વપરાયા લાગે છે. ત્યાં લલાટબિંબ તરીકે દ્વારશાખામાં જિનમૂર્તિ છે. ડભોઈના કિલ્લાનાં ત્રણ દ્વારોનાંદોદ, વડોદરા, અને મહુડી–તેજપાલે બંધાવેલાં લાગે છે; જ્યારે પૂર્વ તરફની ગઢકાળિકાના મંદિરવાળી હીરાભાગોળ તો ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર વીસળદેવ વાઘેલાએ ઈ. સ૧૨૫૩માં બંધાવી છે. કલાની દૃષ્ટિએ આ ધારો કેવળ ગુજરાતના જ નહીં, સારાયે ભારતના ગૌરવ સમા છે. (૩૦) પાવકગિરિ પાવાગઢ પર તેજપાલે અહંતદેવ(સંભવનાથ)નો ગજાથનર પીઠાંક્તિ સર્વતોભદ્રપ્રસાદ (ચૌમુખ પ્રાસાદ) તેમ જ આદિજિનેશ, અજિતનાથ, અને અર્બદનાગનાં મંદિરો કરાવ્યાં. નેમિનાથ અને અંબિકાનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. પાવાગઢનાં આ તમામ મંદિરો સર્વથા નષ્ટ થયાં છે. એના પર રહેલાં સાત જૈન મંદિરો તો ૧૫મી શતાબ્દીના અને પૂર્વ તરફનાં ઝૂમખાનાંઓ હવે દિગંબર સંપ્રદાયના કબજામાં આવી ગયાં છે. ' (૩૧) સ્તંભનક શેઢી નદીને કિનારે, થાંભણામાં, સ્તંભન પાર્શ્વનાથનું પ્રાચીન પ્રતિભાવાળું મંદિર હતું. એના શિખર પર વસ્તુપાલે કાંચનકુંભ અને દંડ મુકાવ્યાં, એના ગૂઢમંડપમાં નાભેય અને નેમિનાથની, અને જગતીમાં સરસ્વતીની પ્રતિમા કરાવી. મંદિર ફરતો નગાકાર પ્રાકાર કરાવ્યો. વાપીનો ઉદ્ધાર કરાવી બે પ્રપા કરાવી. (૩૨) સ્તંભતીર્થ ગુજરાતમાં અણહિલવાડપાટણ પછીનું સૌથી મોટું જૈન કેન્દ્ર તો હતું ખંભાત. અહીં સચિવેશ્વર વસ્તુપાલે મોકળે મને સદ્ધર્મકૃત્ય કર્યા છે. અહીં પોતાની પત્નીના કલ્યાણાર્થે મથુરાભિધાન અને સત્યપુરાભિધાનનાં જિનાલયો કરાવ્યાં. વલાનક અને ત્રિક, મોઢા આગળ પ્રતોલી, મઠ તથા અટ્ટમાં ૬ જિનબિંબની રચના કરી. અષ્ટમંડપ (અષ્ટાપદ મંડપ ?) સહિત આરસના ઉત્તાનપટ્ટ અને ધારપત્રયુક્ત બાવન જિનાલય કરાવ્યું. તેના પર બાવન પ્રૌઢ ધ્વજદંડ અને ઘટ મુકાવ્યાં. ત્રણ તોરણવાળી પાંચાલિકા(પુતળી)ની શ્રેણી કરાવી. ત્યાં પિતાના શ્રેયાર્થે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194