Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 153
________________ ૧૪૨ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર શાંતિનાથ અને પાર્શ્વનાથની કાયોત્સર્ગ મૂર્તિઓ હોવાનું પણ કહ્યું છે. તદુપરાંત રંગમંડપનું વર્ણન કરતાં ત્યાં નાગબંધ” અને પંચાંગવીર'ની છતો, પૂતળીઓ (આજે વિનષ્ટ), જમણી બાજુ ભણસાળી જોગે કરાવેલ “અષ્ટાપદ અને ડાબી બાજુએ ધરણા સાહે કરાવેલ સંમેતશિખર' (ના ભદ્રપ્રાસાદોની) નોંધ લે છે : યથા : હવઈ ખરતરવસહી ભણી આવિલ નરપાલસાહની થાપના એ સતોરણઉ પીતલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર કાસગીઆ પીત્તલ તણાએ. ૨૮ રંગમંડપિ નાગબંધ નિહાલી પૂતલિએ મંડપિ મન વાલ પંચાંગવીર વસેખીઈએ માલાખાડઈ મંડપ જાણુ જિમણઈ અષ્ટાપ(દ) વખાણૂ ભણસાલી જોગઈ કીઉંએ. ૨૯ ડાવઈ સમેતસિહર પ્રસીધુ તે પણિ ધરણઈસાહિ કીધઉ. ૩૦ (૫) પંદરમા શતકના ઉત્તરાર્ધ અને ૧૬માના પૂર્વાર્ધમાં થયેલા, ભાવહર્ષ-શિષ્ય રંગસારની ગિરનાર ચૈત્યપરિપાટીમાં'' મુનિ-યાત્રી તીર્થનાયક નેમિનાથના મંદિરને (દવકુલિકામાં પરોવેલ) ઉત્તર દ્વારેથી નીચે ઊતરીને જે પહેલા મંદિર–હાલની મેરક વસહી– માં આવે છે તેને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં સંપ્રતિરાજાના કરાવેલ પિત્તળમય મનોહર વીર જિનેશ્વર, આજુબાજુની બાવન દેહરીઓ અને મંદિર ભીતરની અવનવી કોરણીનો ઉલ્લેખ કરે છે : ઇણ ગિરઈએ નેમવિહાર આવીયા ખરતરવસહી વાર //૧ રા દ્વાલ સંપતિરાય કરાવિ મુણહર પીતલમઈ શ્રીવીર જિસેસર ખરતર(વ)સહી માટે પાખતીયાં બાવન જિણાલ નવલ નવલ કોરણીય નિહાલ ટાલઉ કુમતિ કસાય /૧all રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ ૧૬મા-૧૭મા શતકમાં થયેલા(પ્રાગ્વાટ) કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં મંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) “અષ્ટાપદ અને જમણી બાજુ (કલ્યાણત્રયના મંદિરની દિશાએ) “નંદીશ્વર', ગભારામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194