Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 421
________________ શ્રી ઘન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૬ આત્માઓ છે બધા તારા મિત્રે છે, કોઈ દુશમન નથી. તારા દુશ્મન તે તારા ભીતરમાં જ છે. કામ, ક્રોધ રાગ, દ્વેષાદિ એ જ તારા ભભવથી બગાડનારા ખરા દુશ્મને છે. બહારમાં કોઈ તારા દુશ્મન નથી અને જે કેઈ છે તે નિમિત્ત માત્ર છે. બાકી મૂળ સુખ-દુઃખમાં કારણભૂત તે તારા શુભાશુભ કર્મો જ છે. તે પછી હૃદયમાં બીજા પ્રતિ વેર રાખીને શા માટે તું તારા આત્માને ખેદ પમાડે છે. આ એક ગાથામાં તે પૂ. ઉપાધ્યાય વિનય વિજ્યજી મહારાજે આખાએ જીવનને જાણે નિચોડ આપી દીધું છે. વેર ભાવને લીધે જીવને ભવોભવમાં દારુણ વિપાક ભેગવવા પડે છે અને તીવ્રાતિતીવ્ર વેરભાવને જીવનમાં પિષનારા ભવાંતરમાં નરકગતિના અધિકારી બને છે. માટે દરેક જીવ સાથે ખમી-ખમાવીને ભવભવના ચોપડા ચોકખા કરી લેજો, જેથી જીવને કર્મોને દારુણ વિપાકે ભોગવવા ન પડે અને શુદ્ધ સમાધિજન્ય આનંદને જીવ ભવભવમાં પામી શકે. વળતી માતા ઈમ કહે, સાચું નંદન સદ્દહે. કાંઈ સાચે જ શ્રેણિક રાય પધારીયાજી શાલિભદ્રને શ્રેણિક એટલે કોઈક વણઝાર લાગે એટલે વળતી માતા પુત્રને કહે છે, હે નંદન ! તું સાચું કરીને સદહેજે ! હું સાચે જ કહું છું કે કઈ કરીયાણું લઈને વણઝારે આવ્યો નથી. મહારાજા શ્રેણિક ઘર આંગણે પધાર્યા છે. શાલિભદ્રને આ વાત તદ્દન નવીન લાગે છે એટલે માતાને પૂછે છે. માતાજી નિ ના મીન્સ ક્યા

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444