________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૮૫ પાંચ-પચાસ લાખ-કરોડની ધૂળ (સંપત્તિ) મળશે; પણ બાપુ! એ તો ધૂળની ધૂળ ધૂળમાં છે. એમાં કયાં આત્મા છે? વા આત્મામાં એ કયાં છે? આ રૂપાળો દેહ છે તેની પણ રાખ થશે, અને ધૂળ (સંપત્તિ) ધૂળમાં રહેશે. અહીં કહે છે-જ્ઞાની કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવોને દુઃખમય-ઝેર જેવા હેય જાણે છે અને તેને નિજ સુખમય સ્વભાવના આશ્રયે છોડી દે છે.
અહાહા...! જ્ઞાનમય રહેવું એટલે જ્ઞાનસ્વભાવી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રહેવું-ટકવું અને વિરાગતા એટલે રાગથી ખસવું-એમ બન્નેય જ્ઞાનીને એકસાથે હોય જ છે.
આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ ( જ્ઞાન-વૈરાગ્ય ) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.' વ્યવહારના રાગને કરવું એ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન વા લક્ષણ નથી પણ અંતર્દષ્ટિ વડે સ્વરૂપમાં સાવધાન રહેવું અને રાગથી ખસવું તે સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે. આવો માર્ગ છે ભાઈ !
ત્યારે કોઈ કહે છે-જરા સહેલું કરો, વંદના, જાત્રા ઇત્યાદિ પણ કરવું. એમ કહો. જુઓ, પૂજામાં પણ આવે છે કે
“એક વાર વંદે જો કોઈ તાકો નરક-પશુ ગતિ નહિ હોઈ.” અરે ભાઈ! અજ્ઞાની એકાદ ભવ નરક-પશુમાં ન જાય તોય તેથી એને શું લાભ છે? અજ્ઞાન અને મિથ્યાત્વ રહે તો પછી પણ તે તિર્યંચાદિમાં જશે જ. મેદશિખરની વંદનાનો ભાવ પણ શુભરાગ જ છે જેને જ્ઞાની દુઃખમય જાણે છે. સમ્મદશિખરની લાખ વંદના કરે તોય તે શુભરાગ જ છે, ધર્મ નથી, અને તેને ઉપાદેયગ્રહણ કરવાયોગ્ય માને ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ જ છે, જૈન નહિ.
હવે “જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ; વૃથા અભિમાન કરે છે”—એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
* કળશ ૧૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અહાહા...! મુનિવરને ક્યાં કોઈનીય પડી છે? તેઓ તો કહે છે–ભાઈ ! સત્ય તો આ છે; એમ કે તું મને ગમે તેમ પણ સત્ય તો આ છે. શું? તો કહે છે
‘યં મદં સ્વયમ્ સચદષ્ટિ, મે નીતુ વ: 7 ચાત્' આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી “તિ' એમ માનીને “સત્તાન-ઉત્પન–વના.' જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે એવા “રાળિr:' રાગી જીવો...
કહે છે? અજ્ઞાની જીવ બહારની ક્રિયાથી ગર્વિષ્ઠ થઈ માનવા લાગે છે કે હું સમ્યગ્દષ્ટિ છું, ધર્મી છું; મને કદી બંધ થતો નથી કેમકે સમ્યગ્દષ્ટિને ભોગની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com