________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આત્મામાં કયાં છે? મારો તો અનંતગુણસમાજસ્વરૂપ સદા એકરૂપ ચૈતન્યરૂપ પ્રભુ આત્મા જ છે. અહા! આવું જાણતા-અનુભવતા જ્ઞાનીને આ લોકનો ને પરલોકનો ભય કેમ હોય ? કદી ન હોય. ‘તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે.' અહાહા...! હું જ્ઞાનરૂપ જ છું એમ તે અનુભવે છે અને આનું નામ ધર્મ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદરસનો રસિયો ધર્મી હું એક જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા જ છું એમ નિરંતર અનુભવે છે અને તેથી તેને આ લોક કે પરલોક સંબંધી કોઈ ભય હોતો નથી. સમજાણું
sis...?
*
હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ
*
*
* કળશ ૧૫૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘નિર્દેવ-પવિત–વેદ્ય–વેવ–વતાત્ '–અભેદસ્વરૂપ વર્તતા વેધ-વૈદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી ...........
જીઓ, ૨૧૬ ગાથામાં જે વેધ-વેદક આવ્યું હતું તે બીજું છે (અને આ બીજું છે). ત્યાં (ગાથા ૨૧૬માં ) વર્તમાન જે ઇચ્છા થાય કે ‘હું આ પદાર્થને ભોગવું' તે ઇચ્છાને વેઘ કહ્યું. હવે તે ઇચ્છા ટાણે તે વસ્તુ-ભોગવવાની વસ્તુ હોતી નથી અને તે વસ્તુ જ્યારે આવે–ભોગવવાનો કાળ આવે ત્યારે-પેલી ઇચ્છા રહેતી નથી. શું કહ્યું ? કે ઇચ્છાના કાળે-વેધકાળે કાંક્ષમાણ જે વસ્તુ તે છે નહિ, અને તે વસ્તુ જ્યારે આવે ત્યારે ભોગવવાના કાળે-વૈદકકાળે ઓલો વેધભાવ હોતો નથી. વેધ ને વેદકનો એક કાળ હોતો નથી કેમકે બેય વિભાવ છે. તો આવા વિભાવની કાંક્ષા અને તેનું વેદન જ્ઞાની કેમ કરે ? ન કરે. જ્ઞાનીને તો પોતામાં અભેદ વેધ-વેદક હોય છે. અહા! છે ને અંદર? કે અભેદસ્વરૂપ વર્તતા વેધ-વૈદકના બળથી...' અહાહા...! વેદનારો હું અને વેદવાયોગ્ય પણ હું; વેધ-વેદક બન્ને અભિન્ન. આનંદનું ( વેદવાયોગ્ય ) વેદન હું ને આનંદની ભાવનાવાળોય હું; લ્યો, આવી વાત! બિચારા વ્યવહારવાળાને આ આકરું પડે છે, પણ શું થાય? મારગ જ આ છે.
એને એમ કે બહારમાં આપ કાંઈક કરવાનું કહો તો ?
સમાધાનઃ- પણ ભાઈ! શું કરવું છે તારે ? બહારનું શું તું કરી શકે છે? રાગવિકલ્પનો પણ જે કર્તા થાય છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. અહાહા...! અનંતગુણનો પવિત્ર પિંડ પ્રભુ આત્મા પરમાત્મા છે. શું તેનામાં કોઈ વિકાર કરવાનો ગુણ છે કે તે વિકારને કરે? અરે ભાઈ! રાગને કરવો ને તેને વેદવો તે એના સ્વરૂપમાં છે જ નહિ. માટે ધર્મીને તો નિત્ય આનંદની ભાવના ને આનંદનું જ વેદન હોય છે, સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com