________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૪ ]
ચન રત્નાકર ભાગ-૭ વસ્તુ છે ભાઈ ! રાગેય નહિ ને નિમિત્તેય નહિ. તો રાગથી ને નિમિત્તથી શું થાય ? કાંઈ ન થાય. ( રાગની ને નિમિત્તની દષ્ટિવાળાને તો ચતુર્ગતિરૂપ સંસાર ફળે ).
પ્રશ્ન- શિંવરિ–છેદે છે. એનો અર્થ શું?
સમાધાનઃ- છેદે છે એટલે આખા છેદી નાખે છે. અબંધસ્વભાવની દૃષ્ટિમાં બંધના ભાવને છેદી નાખે છે, બધું છેદી નાખે છે. અહા ! પરિપૂર્ણ જ્ઞાયકસ્વભાવી નિત્યાનંદ પ્રભુ હું ધ્રુવ છું એવા સત્ની દષ્ટિના બળે સમકિતી “હું કર્મથી બંધાયેલો છું”—એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદિ ભાવોને છેદી નાખે છે. બાપુ! આવી વાત તો બીજે કયાંય છે નહિ. આ નિઃશંકિતમાં તો ગજબની વાત કરી છે.
પ્રશ્ન:- મિથ્યાત્વસંબંધી ભાવનો અભાવ છે કે બધા (ચારેય) ભાવોનો?
સમાધાન - બધાયનો; તે બધાયનો અભાવ છે. સ્વભાવમાં-એક જ્ઞાયકભાવમાં તેઓ કયાં છે? નથી. તો શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પૂર્ણ પ્રભુ આત્માનો જેમાં સ્વીકાર થયો તેમાં તે ચારેય છે જ નહિ. અહા ! બહુ સરસ ગાથા છે! શું કહ્યું? કે પર્યાયનો ને રાગનો ને અપૂર્ણતાનો ને નિમિત્તનો જ્યાં સુધી સ્વીકાર હતો ત્યાંસુધી તે પર્યાયદષ્ટિ મિથ્યાદષ્ટિ હતો, અપૂર્ણદષ્ટિ હતો. પોતાનું પૂર્ણ તત્ત્વ દષ્ટિમાં આવ્યું નહોતું તેથી તે અપૂર્ણદષ્ટિ હતો. પર્યાયદષ્ટિ કહો કે મિથ્યાદષ્ટિ કહો કે અપૂર્ણદષ્ટિ કહો-બધું એક જ છે. પણ જ્યાં પોતાના ત્રિકાળી પૂર્ણ સતનું સત્ત્વ એવા એક ચૈતન્યભાવજ્ઞાયકમાત્રભાવની દષ્ટિ થઈ ત્યાં તેને “હું કર્મના સંબંધવાળો છું”—એવા મિથ્યાભાવનો અભાવ થાય છે અને ત્યારે સ્વરૂપમાં શંકા ઉત્પન્ન કરનારા ચારેય ભાવનો દષ્ટિમાં અભાવ થઈ જાય છે. સૂક્ષ્મ તત્ત્વ છે ભાઈ ! ભાગ્યશાળી હોય તો કાનેય પડે એવી વાત છે. ભાઈ! આ અબજો પૈસા મળે તે ભાગ્યશાળી એમ નથી; વાસ્તવમાં તો એ બધા ભાંગશાળી છે. (ભાંગ મતલબ નશો, એટલે કે તેઓ મોહના નશાવાળા છે ). ( આ તો આવા નિર્ભેળ તત્ત્વની વાત સાંભળવા ને સમજવા મળે તે ભાગ્યશાળી છે એમ વાત છે).
અહા ! લોકોને સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબર નથી. આ તો બે-પાંચ દુકાન છોડે ને આ છોડે ને તે છોડે-એમ બાહ્ય ત્યાગ કરે એટલે ઓહોહોહો.. કેટલોય ત્યાગ કર્યો એમ થઈ જાય. પણ ભાઈ ! મૂળ અંદર મિથ્યાત્વનું શલ્ય છે એ તો ઊભું છે. પરને પોતાના માનવારૂપ, રાગને ભલો માનવારૂપ અને અલ્પજ્ઞને પૂર્ણ માનવારૂપ આદિ-જે મિથ્યાત્વભાવ છે તેનો ત્યાગ તો કર્યો નહિ; તો શું ત્યાગું? કાંઈ નહિ; એક આત્મા ત્યાગ્યો છે. ગંભીર વાત છે પ્રભુ! અહીં કહે છે- પોતાની અલ્પજ્ઞા પર્યાયમાં જેને પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો સ્વીકાર
Please inform us of any errors on [email protected]