Book Title: Pravachana Ratnakar 07
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 539
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩૫ ] [ પર૩ અહા ! સમ્યગ્દષ્ટિ-ધર્મની શરૂઆતવાળો જીવ-કોને કહીએ? કે જેને એક જ્ઞાયકભાવમયપણાની દૃષ્ટિ છે તે સમ્યગ્દષ્ટિ છે. ધર્મીની દષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જ હોય છે, તેની દષ્ટિ નિમિત્ત કે રાગ ઉપર નથી. એનો અર્થ જ એ છે કે નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થાય કે રાગથી વ્યવહારથી નિશ્ચય થાય એવું છે જ નહિ. અહા ! ધર્મીની ધર્મદષ્ટિ છે તો પર્યાય પણ તે પર્યાયનો વિષય ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે. આવો જૈનધર્મ બહુ ઝીણો છે, ભાઈ ! કહે છે-“સમ્યગ્દષ્ટિ, એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યપણે દેખતો (અનુભવતો ) હોવાથી...” જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં “સાધુ-સાધક 'ત્રય કહ્યા છે. પાઠમાં ‘તિ ઝું સાહૂણ' એમ છે ને ? એટલે કે એ રત્નત્રય “સાધુ-સાધક 'ત્રય છે. પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ સાધકો છે. અહા ! આત્માની પરમાનંદરૂપ જે મુક્તિ તેનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધન છે. લ્યો, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયકભાવમય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતાં સમકિતીને જે જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધકદશા છે તે પૂર્ણાનંદરૂપ મોક્ષનું સાધન છે એમ કહે છે. આમાં તો નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન છે એ વાત જ ઉડાવી દીધી છે. અહા ! વસ્તુ છે એ તો ત્રિકાળ એક શાકભાવપણે છે. અને તેનો અનુભવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે-જ્ઞાની એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી-આત્માથી અભેદપણે-એકપણે અનુભવે છે. આવી વાતુ! કોઈ દિ' સાંભળી ન હોય એટલે થાય કે શું આવો જૈનધર્મ! એમ કે દયા પાળવી, તપસ્યા કરવી, ભક્તિ-પૂજા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં છે પણ આ કેવો ધર્મ ! અરે ભાઈ ! દયા આદિ તો બધી રાગની ક્રિયાઓ છે, તે કાંઈ જૈનધર્મ નથી. જૈનધર્મ તો એક જ્ઞાયકભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પોતાનાથી એકપણે અનુભવવાં તે છે. આનું નામ મોક્ષમાર્ગ અને આનું નામ ધર્મ છે. પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહિ? અરે ભાઈ ! પોતાના સહજાન્મસ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંતકાળમાં તેં કર્યો નથી એટલે કઠણ લાગે છે પણ માર્ગ તો આ જ છે. જુઓને ! કહે છે કે-ધર્મી જીવ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ સ્વાશ્રયે પ્રગટ થઈ તેને પોતાથી એકપણે-અભેદબુદ્ધિએ અનુભવે છે. એ તો ૧૬ મી ગાથામાં આવ્યું નહિ? કે-વંસTIMવરિતાળિ સેવિગ્વાળિ સાદુI fષ્ય'—જે સ્વદ્રવ્યના આશ્રયે દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે અર્થાત્ સમ્યગ્દર્શન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577