Book Title: Pravachana Ratnakar 07
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 577
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩૬ ] [ 561 હવે કહે છે “યો શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાય.' અહાહા....! “યોં” –એટલે આ રીતે મતલબ કે બીજી રીતે નહિ તેમ-આ રીતે ભગવાન કેવળીએ જે શિવમારગ નામ મોક્ષનો માર્ગ કહ્યો છે તેને નિરંતર સાધતો થકો પોતાનો આત્મા આનંદરૂપ વા પૂર્ણ અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઇ જાય છે. આનું નામ પરમાનંદસ્વરૂપ મોક્ષ છે. અહા! અંતરમાં સ્વરૂપનું ધ્યાન કરે તે સાધન છે, અને તે વડે ધર્મી પુરુષ સાધ્ય જે પરમાનંદસ્વરૂપ મોક્ષ તેને પ્રાપ્ત થઇ જાય છેપરંતુ એમ નથી કે તે રાગના સાધન વડે પરમ આનંદદશારૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઇ? હવે આત્મા શું? ને ધર્મ શું? –એની ખબરેય ન મળે અને સામાયિક આદિ ક્રિયા કરે પણ એથી શું? એમાં ક્યાં સામાયિક છે? પોતે આત્મા શું ચીજ છે અને તેમાં ઠરવું કઇ રીતે તે જાણ્યા વિના અજ્ઞાની ઠરશે શેમાં? રાગમાં ઠરશે. આત્મામાં ઠર્યા વિના એને સામાયિકેય નથી ને ધર્મય નથી; તો પછી મોક્ષની તો વાત જ ક્યાં રહી? બાપુ! મારગ તો આવો અંદર સ્વરૂપમાં ઠરવારૂપ છે અને તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે, પણ રાગના આશ્રયે કદીય પ્રગટતો નથી. સમજાણું કાંઈ....? આ પ્રમાણે આ સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનનો છઠ્ઠો નિર્જરા અધિકાર સમાપ્ત થયો. [ પ્રવચન નં. 306 (શેષ) થી 308 * દિનાંક 30-1-77 થી 1-2-77] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 575 576 577