Book Title: Pravachana Ratnakar 07
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 564
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે; એટલે નિશ્ચય હોય છે ને વ્યવહાર પણ હોય છે. પ્રમાણદષ્ટિમાં બન્ને પ્રધાન છે, સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી. પણ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ સ્યાદ્વાદ છે-એમ અર્થ નથી. અહીં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તેના આશ્રયે સમકિત પ્રગટતાં ધર્મીને જે નિશ્ચય નિઃશંકિત આદિ ગુણો પ્રગટ થાય છે તેની મુખ્યતાથી આ નિર્જરા અધિકારમાં કથન છે. ત્યાં વ્યવહારની મુખ્યતાથી વાત આવે ત્યારે હમણાં કહ્યા એવા વ્યવહારના આઠ બોલ આવે; અને બન્નેને એક સાથે કહેવા હોય તો પ્રમાણથી કહેવામાં આવે. પરંતુ પ્રમાણમાં, નિશ્ચયમાં જે સ્વીકાર્યુ છે તેને રાખીને વ્યવહા૨ને સાથે ભેળવવામાં આવે છે. પણ ત્યાં એમ નથી કે વ્યવહારથી નિશ્ચય થાય તો તેને પ્રમાણજ્ઞાન કહેવાય. વ્યવહા૨થી નિશ્ચય થાય તો નિશ્ચય જુદું ન રહ્યું અને તો પ્રમાણજ્ઞાન પણ ક્યાં રહ્યું? પ્રમાણજ્ઞાનમાં તો નિશ્ચય, ને વ્યવહાર બન્ને સાથે છે એમ વાત પણ વ્યવહારથી નિશ્ચય છે એમ ક્યાં છે? અહા ! વીતરાગનો મારગ બાપા! બહુ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ! (એમ કે ઉપયોગને સૂક્ષ્મ કરે તો સમજાય એવો છે). * * * હવે નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છેઃ * કળશ ૧૬૨ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * 6 ' इति नवम् વન્ધ રુન્ધન્' –એ પ્રમાણે નવીન બંધને રોકતો અને નિખૈ: ગામિ ગંગે: સંશત: નિર્ઝરા-ઉષ્કૃમ્ભળેન પ્રાવસ્તું તુ ક્ષયમ્ ઉપનયન્' (પોતે ) પોતાના આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો ‘ સભ્યપદદિ: ' સમ્યગ્દષ્ટિ જીવ...' " અહા ! ૫૨મ આનંદરસમાં નિમગ્ન એવો સમ્યગ્દષ્ટિ નવીન બંધને રોકી દે છે અને તેને નિ:શંકિત આદિ આઠ ગુણ પ્રગટ થયા હોવાથી તે કર્મની નિર્જરા કરનારો છે. તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે ને ? તેથી તે વડે તે પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરી દે છે. અહા ! ‘શુદ્ધ' નું જેમાં પરિણમન થયું છે તે સમક્તિ કોઇ અચિંત્ય અલૌકિક ચીજ છે બાપા! અહા! એના વિના બહારમાં ગમે તેવી ક્રિયા કરે તોપણ એ બધાં થોથાં એટલે એકડા વિનાનાં મીંડાં છે. અહા! અજ્ઞાની કહે છે-સમ્યગ્દર્શન વિના ચારિત્ર ન હોય એ તો ઠીક વાત છે, પણ સમ્યગ્દર્શનની ખબર કેમ પડે? એ તો ભગવાન કેવળી જ જાણે. માટે આ જે (આગમમાં કહેલી ) વ્યવહારની વ્રતાદિ ક્રિયા કરીએ છીએ તે સાધન છે અને માટે તે મોક્ષનો મારગ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577