Book Title: Pravachana Ratnakar 07
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 565
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩૬ ] [ ૫૪૯ અરે ભાઈ ! સમકિતની ખબર ન પડે એ જ અજ્ઞાન છે. મિથ્યાત્વમાં રહે એને સમકિતની ખબર કેમ પડે? વ્રત, તપ આદિ રાગને સાધન માની તેમાં લીન રહે તે મિથ્યાત્વમાં રહેલો છે. તેને સમકિત શું સમકિતની ગંધેય આવે તેમ નથી. સમજાણું કાંઇ...? અહીં કહે છે-સમ્યગ્દષ્ટિ જીવ “તિરસાત્' અતિ રસથી અર્થાત નિજરસમાં મસ્ત થયો થકો....' જોયું? સમ્યગ્દષ્ટિ આનંદના રસમાં ચૈતન્યના રસમાં મસ્ત થયો છે. અહા ! ધર્મીની દશા અતીન્દ્રિય આનંદના રસમાં તરબોળ થઈ છે. અહા ! સંસારી અજ્ઞાની પ્રાણીઓ જ્યારે વિષય-કષાયના રસમાં-દુ:ખના રસમાં તરબોળ છે ત્યારે ધર્મી જીવ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપથી નીપજેલા આનંદના રસમાં તરબોળ છે. અહા ! વિષય-કષાયનો રસ તો ઝેરનો રસ છે, આકુળતાનો રસ છે. તેમાં સમકિતીને શું રસ હોય? સમકિતી તો આનંદનો-અમૃતનો સાગર પ્રભુ આત્મા છે તેમાં નિમગ્ન થવાથી ઉત્પન્ન થયેલા અતીન્દ્રિય આનંદના રસમાં તરબોળ થયો છે. સમકિતીનું નિર્મળ પરિણમન નિરાકુળ આનંદમાં રસબોળ છે. તિરસતું' –અતિ રસથી એમ કહ્યું ને? ત્યાં “રસ' અને તેની સાથે “અતિ” શબ્દ જોડયો છે; તો “નિજરસમાં મસ્ત” –એમ એનો અર્થ કર્યો છે. અહા! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્મા આનંદથી ઠસોઠસ ભરેલો ભગવાન આનંદઘન છે. તેમાં એકાકાર થયેલી ધર્મીની નિર્મળ પરિણતિ નિજરસમાં મસ્ત થઇ છે, નિરાકુળ આનંદના રસમાં મસ્ત થઇ છે. આવી ધર્મીની પરિણતિ ને આ ધર્મીની વ્યાખ્યા ! જુઓ, અહીં “સ્વયમ તિરસાત' –એમ બે શબ્દ પડ્યા છે. અર્થાત્ ધર્મી પોતે પોતાના આનંદના રસમાં મસ્ત થયો છે એમ કહે છે. કેવો? તો એવો મસ્ત થયો છે કે તેની આગળ એને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ ફીકાંફચ લાગે છે વા ઝેર જેવાં ભાસે છે. બાપા! સમકિતીની અંતરદશા કોઇ અદભુત અલૌકિક હોય છે. આ વિષયલોલુપી જીવો અતિ રાગથી હાડ-માંસનાં ચૂંથણાં કરે છે ને ? અહા ! સમકિતીને એ ઝેર જેવાં ભાસે છે. અહા ! વીતરાગનો મારગ વીતરાગભાવ પ્રભુ! એકલા આનંદરસથી ભરપૂર ભરેલો છે; તેમાં વિષયરસનું ઝેર ક્યાં સમાય ? સમ્યગ્દષ્ટિ જીવ “સ્વયં તિરસ' –આમાં “સ્વયં” આવ્યું ત્યો. કોઇ અજ્ઞાની સ્વયં” એટલે “પોતારૂપ” –એમ અર્થ કરે છે. સ્વયં પરિણમે છે એટલે પોતારૂપ પરિણમે છે એમ અર્થ કરે છે. પરંતુ બાપુ! “સ્વયં” એટલે સ્વતંત્રપણે પોતાથી જ પરિણમે છે એમ અર્થ છે. અજ્ઞાનીને નિમિત્તાધીન દષ્ટિ હોવાથી આ વાત ગોઠતી નથી. પણ શું થાય? અહીં કહે છે-ધર્મી ‘સ્વય' એટલે પોતે પોતાથી જ “તિરસાત' Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577