Book Title: Pravachana Ratnakar 07
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 507
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩) ] [ ૪૯૧ એ તો પરચીજ છે, એ તો માત્ર છે; વ્યવહાર જ્ઞય છે. પહેલાં (૨૨૯ મી ગાથામાં) ના આવ્યું? કે પોતાના એક જ્ઞાયકભાવમાં પરદ્રવ્યનો-પુણ્યકર્મ આદિનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે, કેમકે ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે, તો પછી આ કર્મના ફળરૂપ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-કબીલા ને ધનસંપત્તિ ઈત્યાદિ નોકર્મ સાથે સંબંધ માનવો એય મિથ્યાત્વ છે, ત્યારે કોઈ એડવોકેટ (મિથ્યાત્વનો હોં) કહે છે તો શું નોટીસ આપી દેવી કે તમારે ને અમારે સંબંધ નથી? સમાધાન- એમ નહિ ભાઈ ! જરા ધીરો થા બાપુ! એમાં નોટીસની જરૂરત ક્યાં છે? એ સર્વને પર જાણી પોતાના એક જ્ઞાયકભાવને ગ્રહણ કરવો બસ એ નોટીસ થઈ ગઈ. બાકી સર્વ મારાં છે, પુણ્યનાં ફળ મારાં છે એમ જાણવું અને “કાંઈ સંબંધ નથી ” એમ નોટીસ દેવાનું કહેવું એ તો છળ છે બાપા! અજ્ઞાન છે, અનંતાનુબંધીનો માયાચાર છે. સમજાણું કાંઈ ? પરદ્રવ્યથી (સ્વામિત્વનો) સંબંધ માનવો એ મિથ્યાત્વ છે ભાઈ ! અહા! જ્ઞાનીને તો અંદરથી નોટીસ જ છે કે મારે તમારા આત્માને) ને દીકરાને, મારે ને દીકરીને, મારે ને પત્નીને, મારે ને પતિને, મારે ને ધનસંપત્તિને સંબંધ જ નથી. એનું તો પરિણમન જ એવું જ્ઞાનમય છે. આવું! બીજે તો ક્યાંય સાંભળવા મળવું દુર્લભ છે. અહા! પ્રભુ! તું કોણ છો? પ્રભુ! તું તો ચેતયિતા એક જ્ઞાયકભાવમય, જ્ઞસ્વભાવમય, આનંદસ્વભાવમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ આત્મા છો ને? તું તો જાણગજાણગ-જાણગ-એમ જાણવાસ્વરૂપ છો ને ભગવાન? તો શું જાણવાવાળો આ બધાં પદ્રવ્ય મારાં છે એમ જાણે ? કદીય નહિ. પરદ્રવ્યને જાણવાં એય જ્ઞયમાત્રપણાનો વ્યવહાર છે; તો પછી એ પર બધાં મારાં એમ કયાંથી આવ્યું? અહા ! તને શું થઈ ગયું પ્રભુ? સર્વજ્ઞ પરમેશ્વરે તો આત્માને એક ચિન્માત્રસ્વભાવી જ જોયો છે. તો એવો પોતાને પોતાનામાં દેખવાને બદલે આ બધાં પર મારાં છે એમ જાણવા લાગ્યો તો તને શું થઈ ગયું પ્રભુ? જો ને? કે સ્વરૂપમાં સદા સાવધાન એવો જ્ઞાની તો પરની-પરધર્મોની-વાંકા જ કરતો નથી. અહીં કહે છે-“વળી તેને સર્વધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તથા નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી–તેમના પ્રત્યે સમભાવ છે.....' શું કહ્યું? કે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની જ્ઞાનીને વાંછા નથી. સુવર્ણ હો કે પાષાણ હો, નિંદાનાં વચન હો કે પ્રશંસાનાં, કાચ હો મણિરત્ન હો, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577