________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩) ]
[ ૪૯૧ એ તો પરચીજ છે, એ તો માત્ર છે; વ્યવહાર જ્ઞય છે. પહેલાં (૨૨૯ મી ગાથામાં) ના આવ્યું? કે પોતાના એક જ્ઞાયકભાવમાં પરદ્રવ્યનો-પુણ્યકર્મ આદિનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે, કેમકે ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે, તો પછી આ કર્મના ફળરૂપ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-કબીલા ને ધનસંપત્તિ ઈત્યાદિ નોકર્મ સાથે સંબંધ માનવો એય મિથ્યાત્વ છે, ત્યારે કોઈ એડવોકેટ (મિથ્યાત્વનો હોં) કહે છે
તો શું નોટીસ આપી દેવી કે તમારે ને અમારે સંબંધ નથી?
સમાધાન- એમ નહિ ભાઈ ! જરા ધીરો થા બાપુ! એમાં નોટીસની જરૂરત ક્યાં છે? એ સર્વને પર જાણી પોતાના એક જ્ઞાયકભાવને ગ્રહણ કરવો બસ એ નોટીસ થઈ ગઈ. બાકી સર્વ મારાં છે, પુણ્યનાં ફળ મારાં છે એમ જાણવું અને “કાંઈ સંબંધ નથી ” એમ નોટીસ દેવાનું કહેવું એ તો છળ છે બાપા! અજ્ઞાન છે, અનંતાનુબંધીનો માયાચાર છે. સમજાણું કાંઈ ? પરદ્રવ્યથી (સ્વામિત્વનો) સંબંધ માનવો એ મિથ્યાત્વ છે ભાઈ !
અહા! જ્ઞાનીને તો અંદરથી નોટીસ જ છે કે મારે તમારા આત્માને) ને દીકરાને, મારે ને દીકરીને, મારે ને પત્નીને, મારે ને પતિને, મારે ને ધનસંપત્તિને સંબંધ જ નથી. એનું તો પરિણમન જ એવું જ્ઞાનમય છે. આવું! બીજે તો ક્યાંય સાંભળવા મળવું દુર્લભ છે.
અહા! પ્રભુ! તું કોણ છો? પ્રભુ! તું તો ચેતયિતા એક જ્ઞાયકભાવમય, જ્ઞસ્વભાવમય, આનંદસ્વભાવમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ આત્મા છો ને? તું તો જાણગજાણગ-જાણગ-એમ જાણવાસ્વરૂપ છો ને ભગવાન? તો શું જાણવાવાળો આ બધાં પદ્રવ્ય મારાં છે એમ જાણે ? કદીય નહિ. પરદ્રવ્યને જાણવાં એય જ્ઞયમાત્રપણાનો વ્યવહાર છે; તો પછી એ પર બધાં મારાં એમ કયાંથી આવ્યું? અહા ! તને શું થઈ ગયું પ્રભુ? સર્વજ્ઞ પરમેશ્વરે તો આત્માને એક ચિન્માત્રસ્વભાવી જ જોયો છે. તો એવો પોતાને પોતાનામાં દેખવાને બદલે આ બધાં પર મારાં છે એમ જાણવા લાગ્યો તો તને શું થઈ ગયું પ્રભુ? જો ને? કે સ્વરૂપમાં સદા સાવધાન એવો જ્ઞાની તો પરની-પરધર્મોની-વાંકા જ કરતો નથી.
અહીં કહે છે-“વળી તેને સર્વધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તથા નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી–તેમના પ્રત્યે સમભાવ છે.....'
શું કહ્યું? કે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની જ્ઞાનીને વાંછા નથી. સુવર્ણ હો કે પાષાણ હો, નિંદાનાં વચન હો કે પ્રશંસાનાં, કાચ હો મણિરત્ન હો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com