________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫O
[ સમયસાર પ્રવચન મળીને રહેવા છતાં પોતાના ક્ષેત્રથી ભિન્નપણે રહી પોતાના ચૈતન્યસ્વભાવરૂપ જ રહે છે, સ્વરૂપથી કદીય છૂટતો નથી. આવો જ વસ્તુસ્વભાવ છે.
આમ સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે. સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે.
-ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. -દર્શનજ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. -અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. -અક્રમવર્તી અને ક્રમવર્તી એવા ગુણપર્યાયો સહિત છે. -સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું
એકરૂપપણું છે. -અસાધારણ ચૈતન્ય ગુણના સદ્દભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના
અભાવને લીધે પર દ્રવ્યોથી ભિન્ન છે. -અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાતું હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે.
અહા ! જ્ઞાન એને કહીએ જે પૂર્વાપર વિરોધ રહિત વસ્તુને સિદ્ધ કરે. આગળપાછળ વિરોધ આવે તેને જ્ઞાન ન કહેવાય.
હવે અહીં સ્વસમય પરસમય કઈ રીતે છે તે સમજાવે છે. “ જ્યારે આ જીવ, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન-જ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનશાસ્વભાવમાં નિશ્ચિતપ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શનજ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે “સ્વ-સમય” એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે.”
સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશે તે કેવળજ્ઞાન છે. એવા કેવળજ્ઞાનને ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થતાં સર્વ પરદ્રવ્યોથી છૂટી, દર્શનજ્ઞાનસ્વભાવમાં, પર્યાયરહિત અભેદ ત્રિકાળ ધ્રુવ, ચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં દષ્ટિ કરી તેની સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે. યુગપદ્ અને એકત્વપૂર્વક જાણતો અને સ્વમાં એકત્વપણે પરિણમતો તે “સ્વસમય” એમ પ્રતીત કરવામાં આવે છે–એટલે કે જાણવામાં આવે છે. અહીં ટીકામાં જાણવાના અર્થમાં પ્રતીત શબ્દનો પ્રયોગ કર્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com