Book Title: Pravachana Ratnakar 01
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 246
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૩૫ એટલે પર્યાયગત હીનાધિકપણાનું લક્ષ છોડીને અને ધ્રુવ જ્ઞાયકભાવ એકનું લક્ષ કરીને-અનુભવ કરતાં અનિયતપણું જૂઠું છે, હીનાધિકપણું કાંઈ નથી; માત્ર ધ્રુવ, ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો કહો, મુખ્યનો અનુભવ કરવો કહો કે અધિક સ્વભાવનો અનુભવ કરવો કહોએ બધું એકાર્યવાચક છે. સમયસાર ગાથા ૩૧ માં ઇન્દ્રિયોથી અધિક ( ભિન્ન) આત્મસ્વભાવનો અનુભવ કરવાનું કહ્યું, ગાથા ૧૧ માં ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને એનો અનુભવ કરવાનું કહ્યું અને અહીં સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવાનું કહ્યું. એ ત્રણેય એકાÁવાચી છે. ત્રિકાળી જ્ઞાયકભાવ પર્યાયથી અધિક છે. એટલે પર્યાયથી ભિન્ન છે. એવા જ્ઞાયકભાવની સમીપ જઈને તેમાં જ દષ્ટિ કરતાં પર્યાય લક્ષમાં રહી નહીં અર્થાત્ અનુભવમાં આવી નહીં માટે અનિયતપણું અસત્યાર્થ થઈ ગયું. પર્યાયમાં હીનાધિકતા થાય છે એ અપેક્ષાએ અવસ્થાવિશેષ આત્માની અંદર છે, બીજા પદાર્થમાં-જડમાં નથી. પણ તે અંતર્મુખ વસ્તુમાં દષ્ટિ કરવાથી હીનાધિકપણું અસત્યાર્થ થઈ જાય છે. આમ મુખ્ય-ગૌણની વાત છે. ભાઈ ! લક્ષ્મી-પૈસો એ તો પૂર્વનાં પુણ્ય હોય તો ઢગલા થઈ જાય છે, એમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. તથા મહેનતથી એ મળે છે એમ નથી. જ્યારે ધર્મ તો પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઈએ. ચોથો બોલઃ- જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. સોનામાં પીળાશ, ચીકાશ, વજન આદિ છે ને? ભેદદષ્ટિથી જોતાં સુવર્ણમાં એ પીળાશ, ચીકાશ, વજન આદિ છે એ સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. સુવર્ણ, સુવર્ણ, સુવર્ણ એમ એકલા સુવર્ણની જ દષ્ટિ કરતાં શું ચીકાશ, પીળાશ, આદિ દેખાય છે? એકરૂપ સામાન્ય સુવર્ણની દૃષ્ટિમાં ચીકાશાદિ સર્વ વિશેષો વિલય થઈ જાય છે. દષ્ટિમાં એકલું સામાન્ય સુવર્ણ આવ્યું ત્યાં પીળાશાદિ ભેદો અસ્ત થઈ જાય છે, એ ભેદો દષ્ટિમાંથી છૂટી જાય છે. આ દષ્ટાંત થયું. સિદ્ધાંત - એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે.-સત્યાર્થ છે. શું કહે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ભેદોથી જોતાં આવું વિશેષપણું આત્મામાં છે. પુદ્ગલાદિ બીજા કોઈ દ્રવ્યમાં એવા ભેદો નથી એ અપેક્ષાએ સત્યાર્થ છે. (પરમાણુ આદિમાં જ્ઞાન, દર્શન નથી) તોપણ જેમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282