Book Title: Pravachana Ratnakar 01
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 281
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭) [ સમયસાર પ્રવચન પ્રવાહ એવો છે કે કોઈ ચીજ પડે તો બહાર કાઢે. ગુફામાં બહુ જ અંધારું હોય છે. ચક્રવર્તી પાસે એક મણિરત્ન હોય છે. એને ઘસવાથી સૂર્ય જેવો પ્રકાશ થાય છે. આ પ્રકાશમાં આખું લશ્કર ત્યાંથી પસાર થઈ જાય છે. એમ અહીં કહે છે કે અમોને જે ચૈતન્યમણિરત્ન છે તેમાં એકાગ્રતારૂપ ઘસારો કરવાથી પર્યાયે પર્યાયે જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. એ પ્રકાશમાં અમે મોક્ષમાર્ગમાં ચાલ્યા જઈએ છીએ. આચાર્યદેવ નિજ ચૈતન્યચિંતામણિરત્નમાં એકાગ્રતાથી પ્રાપ્ત જ્ઞાનપ્રકાશની જ ભાવના કરે છે, બીજું કાંઈ ઈચ્છતા નથી. હવે કહે છે કે જેવી રીતે “ સત્ નૈવવિન્ય તિનાયિતમ' મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે અર્થાત્ એકલા ક્ષારરસના સ્વભાવથી ભરેલી છે, તેવી રીતે “યવેરરસન્ મનસ્વતે' અમારો આ આત્મા એકલા જ્ઞાનરસથી પૂર્ણ ભરેલો છે. વળી ‘મરવટુતમ્' તે તેજ અખંડિત છે એટલે રાગાદિ જ્ઞયોના આકારે ખંડિત થતું નથી તથા “અનાવૃતમ્' અનાકુળ છે. એમાં કર્મોના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગાદિજનિત આકુળતા નથી. એ ત્રિકાળ, અખંડ, જ્ઞાનરૂપ અને અનાકુળ આનંદસ્વરૂપ છે. ‘ગ્વનન્ત” અંતર્વહિ. વળી તે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે. અંતરંગ શક્તિમાં જ્ઞાનનું ચૈતન્યનું–તેજ પરિપૂર્ણ ભરેલું છે અને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં પણ જ્ઞાનતેજ પ્રગટ થાય છે. તે સ્વભાવથી થયું છે. આત્માના જ્ઞાનસ્વરૂપને કોઈએ ઉપજાવ્યું, રચ્યું કે બનાવ્યું છે એમ નથી, સહજ જ છે. કિનારસન્ સેવા અને હુમેશાં એનો વિલાસ ઉદયરૂપ છે. જ્ઞાનપ્રકાશ સદાય ઉદયરૂપ રહે છે. વસ્તુ સદાય ઉદયરૂપ છે અને જે જ્ઞાનપ્રકાશનો પર્યાયમાં ઉદય થાય તે પણ સદાય રહે છે. ત્રિકાળી ચીજ એકરૂપ પ્રતિભાસમાન છે. તેના આશ્રયે પર્યાયમાં અનેકતાનો નાશ થઈ એકરૂપનો અનુભવ થાય છે. * કળશ ૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આચાર્ય ભગવાને પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકારસ્વરૂપ જ્યોતિ અમોને સદા પ્રાપ્ત રહો. ભગવાન આત્મા સ્વરૂપથી જ જ્ઞાનાનંદમય છે, અભેદ એકાકારસ્વરૂપ છે. અખંડ અનાકુળસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લઈને જે અનુભવની દશા પ્રગટ થાય એ-જેમ વસ્તુ અવિનાશી છે તેમ-અવિનાશી છે. એનો પણ (એક અપેક્ષાએ) નાશ થતો નથી. અષ્ટપાહુડના ચારિત્રપાહુડની ચોથી ગાથામાં સમ્યગ્દર્શન -જ્ઞાનચારિત્રના પરિણામને પણ “અક્ષય-અમેય' કહ્યા છે. વસ્તુ જેવી અક્ષય-અમેય છે તેવી આ પર્યાય પણ અક્ષય-અમેય છે. ભાઈ ! અધ્યાત્મ સૂક્ષ્મ છે. એનો એકેક શબ્દ મંત્ર છે. જેમ કોઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 279 280 281 282