________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૩
ભાગ-૧ ] મોઢામાં મૂકતાં તીખાશનો સ્વાદ આવતો નથી. પરંતુ તીખાશ જાણતાં આ ઠીક છે એવી માન્યતાનો જે રાગ ઉત્પન્ન થાય છે એ રાગનો અજ્ઞાની સ્વાદ લે છે. એવી રીતે શરીરમાં તાવ આવે છે એ તાવનો અનુભવ આત્માને નથી, માત્ર એ અઠીક છે એવી અરુચિ થતાં દુ:ખનો અનુભવ છે. વસ્તુ પ્રત્યે રાગમાં આસક્ત અજ્ઞાની જીવને રાગનો સ્વાદ આવે છે, અને તે આકુળતામય છે, અધર્મ છે. આત્માનો સ્વાદ તો અનાકુળ આનંદમય છે. બનારસીદાસે લખ્યું છે
વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ.
૨સ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામ. વસ્તુ જે જ્ઞાયકસ્વરૂપ તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે તેને મનના વિકલ્પો-રાગ વિશ્રામ પામે છે, હઠી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખનો સ્વાદ આવે છે તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે.
શયમાં આસક્ત છે તે ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત છે. જે પદાર્થો ઈન્દ્રિયો વડે જાણવામાં આવે છે તે ઇન્દ્રિયના વિષયો છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, સાક્ષાત્ ભગવાન અને ભગવાનની વાણી એ પણ ઈન્દ્રિયના વિષયો છે. સમયસાર ગાથા ૩૧ માં લીધું છે કે- “જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને'- પાંચ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-ત્રણને ઈન્દ્રિય ગણવામાં આવી છે. એ ત્રણેયને જીતીને એટલે કે તેમના તરફનો ઝુકાવ-રુચિને છોડીને એનાથી અધિક અર્થાત્ ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને -અતીન્દ્રિય ભગવાનને અનુભવે છે તે જૈનશાસન છે. પોતાના સ્વજ્ઞયમાં લીન છે એવી આ અનુભૂતિ- શુદ્ધોપયોગરૂપ પરિણતિ તે જૈનશાસન છે.
આથી વિરુદ્ધ અજ્ઞાનીને પરિપૂર્ણ જે સ્વય છે એની અરચિ છે અને ઈન્દ્રિયાદિનું ખંડખંડ જે જ્ઞયાકાર જ્ઞાન છે એની રુચિ અને પ્રીતિ છે. તે પરયોમાં આસક્ત છે અને તેથી તેને જ્ઞાનનો સ્વાદ ન આવતાં રાગનો-આકુળતાનો સ્વાદ આવે છે. રાગનો સ્વાદરાગનું વેદના અનુભવમાં આવવું એ જૈનશાસનથી વિરુદ્ધ છે તેથી અધર્મ છે. શુભક્રિયા કરવી અને એ કરતાં કરતાં ધર્મ થઈ જશે એવી માન્યતા મિથ્યાભાવ છે તથા શુભાશુભ રાગથી ભિન્ન અંતર આનંદકંદ ભગવાન આત્માને જ્ઞય બનાવી જ્ઞાયકના જ્ઞાનનું વેતન કરવું એ જિનશાસન છે, ધર્મ છે. આ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે -
“જેમ અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ તેનો સ્વાદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com