________________
૨૦
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલા આહારપાણીથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં. હવે તો રોગ વૃદ્ધાવસ્થાના કારણે મરણ સમીપ જણાય છે. તો તે અલ્પ આહાર શું તૃપ્તિ દઈ શકશે ? પણ આ પેટ ભરવા માટે જે જે પ્રકારના અસત્ય કે આરંભ આદિના પાપ સેવ્યા હશે તેના ફળ પરભવમાં ભોગવવા પડશે. ।।૩ના
પાપી પેટ તણી વેઠે તું દીન, પરાર્થીન, નીચ થયો, રાત-દિવસ કે ભક્ષ્ય-અભક્ષ્ય શુદ્ઘિ તણો ના લક્ષ લહ્યો; રસ-લંપટતા હર્ષોં ય ન છૂટે, તો વ્રત, સંયમ, યશ નાશે, મરણ બગાડી દુર્ગતિદુખમાં જીવ પરાથીન બની, જાશે.’’ ૩૧
અર્થ :— આ પાપી પેટ માટે તું દીન બની પરાધીન થયો, નીચ વૃત્તિઓ પણ સેવી. સ્વાદનો લંપટી બની રાતદિવસ ભક્ષ્ય અભક્ષ્યની શુદ્ધિનો પણ લક્ષ રાખ્યો નહીં.
રસની લંપટા હજી પણ છૂટતી નથી. તો તે વ્રત, સંયમ, યશનો નાશ કરશે અને અંતે મરણ બગાડી દુર્ગતિના દુઃખમાં પડી જીવ પરાચીન બની જશે. ।।૩૧।।
એમ વિચારી ઉપવાસાદિક તપ-અભ્યાસ કર્યાં કરવો, અલ્પ અને નીરસ આહારે ઉદર-ખાડો કર્દી ભરવો; શરીર, શક્તિ, આયુષ્યસ્થિતિ નીરખી જળ ને દૂઘ લેવાં,
પછી છાશ જળ, પ્રાસુક જળ લે, અંતે તે પણ તજી દેવાં. ૩૨
અર્થ :— એમ વિચારીને ઉપવાસ આદિ તપનો અભ્યાસ કરવો. અલ્પ અને નીરસ આહારથી આ ઉદર એટલે પેટનો ખાડો કદી ભરવો. શરીરની શક્તિ અને આયુષ્ય સ્થિતિને જોઈ અર્થાત્ રોગાદિના કારણે શરીર ટકી શકે એમ ન લાગતું હોય તો જળ અને દૂધ જ લેવા. પછી છાસ તથા ઉકાળેલું પાણી પીને રહે. પછી કેવળ પાણી જ પીએ. એમ ક્રમે કરીને સમસ્ત આહારનો ત્યાગ કરી અને તે પણ ન દેવા. આમ ધર્મથ્થાન સહિત ભારે પુરુષાર્થથી દેહનો ત્યાગ કરે તે કાય સલ્લેખના કહેવાય છે. ।।૩૨।।
મસા સમા આ દેહની વૃત્તિ આખર સુધી કહે કોણ ચહે? ક્રમે ક્રમે કરી કૃશ કાયા પણ તજવા તત્પર સર્વ રહે. આપઘાતની કો ક્રિયા આ અણસમજું ઉપલકબુદ્ધિ; આતમતિ સમજી, સદ્ગુરુની આજ્ઞાએ અનુપમ શુદ્ધિ. ૩૩
અર્થ :– મસાની સમાન આ દેહની વૃદ્ધિ મૃત્યુના આખર સમય સુધી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરીને પણ આ કાયાને કૃશ કરી, તજવા માટે સમાધિમરણના આરાધક સર્વ ઇચ્છે છે.
સલ્લેખના એટલે સંથારો કરી દેત્યાગની ક્રિયાને અણસમજુ ઉપલક બુદ્ધિવાળા જીવો આપઘાતની ક્રિયા કહે છે. પણ એમાં પોતાના આત્માનું હિત સમજી સદ્ગુરુ આજ્ઞાએ જો કરવામાં આવે તો તે અનુપમ શુદ્ધિનું કારણ છે.
ગા
મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ધર્મ-ધ્યાન જ્યાં સુધી થાય, દુષ્કાળાદિક આફતથી ના થર્મ-નિયમ જો ઘૂંટાયે, ત્યાં સુધી ઔષધ-આહારે આ દેહ તણી રક્ષા કરવી, માનવ દેહ જ ઉત્તમ સાધન, થર્મવૃદ્ધિ-બુદ્ધિ થરવી. ૩૪