Book Title: Prabuddha Jivan 2009 08 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 3
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ : (૫૦) + ૧૯ અંકઃ ૮ ગસ્ટ,૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૫૭ વીર સંવત ૨૫૩૫ ૭ શ્રાવણ વદિ – તિથિ૧૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રબુદ્ધ જીવન છૂટક નકલ રૂા. ૧૦/ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ અમારા માતા-ભગિની, પરમ પાવનકારી ‘શ્રાવિકા’ કલ્યાણિની! ગૃહિણી, ઓ! પ્રભુ પ્રેમી આર્યા! તારાબેન નીચે એક ખૂણે તારાબેનના આત્મસગાઈના ભાઈ ઉત્તમ શ્રાવક અને સમાજ સેવક મહેન્દ્રભાઈ મળ્યા. કુદરત સંકેતે ત્રણેક દિવસ પહેલાં જ એઓ અમેરિકાથી આવી ગયા હતા. એમના અંતરની અપાર વેદના કોઈ પણ વાંચી શકે એવા આ સરળ સ્નેહીજને એક જ વાક્યમાં વેદના વહાવીઃ ‘પચાસ વરસનો અમારો અલૌકિક સંબંધ બસ એક જ ક્ષણમાં પૂરો! બહેનનો રોજ સંભળાતો અવાજ હવે ‘અમારા' કુળમાં, બીજે, જ્યાં હો ત્યાં ત્યાં; ઓ તપસ્વિની! નમો-નમો, મહાદેવી! ઓમ નમો, કુલ યોગિની. -કવિ ન્હાનાલાલ અમારા તારાબેન હવે વિશ્વના અણુ અણુને સમર્પાઈ ગયા! દેહથી છૂટીને એ એક આત્માએ પરમતત્ત્વ તરફ ગતિ કરી. તા. ૧૨ જુલાઈના પરોઢિયે. તે દિવસે સવારે લગભગ અગિયાર વાગે જ્યારે હું પૂ. તારાબેનના અચેતન દેહના દર્શન કરવા એમના મુલુંડ સ્થિત ‘ત્રિદેવ’ નિવાસ સ્થાને પહોંચ્યો ત્યારે બહાર આ અંકના સૌજન્યદાતા : પરસાળમાં અમારા વિદ્વાન પૂજ્યજન ગુલાબભાઈ પ્રથમ શ્રીમતી શૈલાબેન હરેશભાઈ મહેતા મળ્યાં, લગભગ ૮૦ ની નવર્ડ ફાઉન્ડેશન આસપાસના એ સ્વજનની સ્મૃતિ : સ્વ. નલિનીબેન મનહરલાલ દોશી આંખોમાંચોધાર આંસુ હતાં. મને કહે, ‘અસામાન્ય એવા આપણા આ સ્વજન સામાન્ય બનીને જીવ્યા. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે, અસામાન્યની કક્ષાએ પહોંચી સામાન્ય બનીને રહેવું, જીવવું બહુ કપરું હોય છે. પણ આપણા તારાબેને એ શક્ય કરી બતાવ્યું' અસામાન્ય વ્યક્તિ હોવા છતાં સામાન્ય રીતે જીવવું એજ અસામાન્ય વ્યક્તિત્વની છૂપી ઓળખ. તારાબેન નીચે વસીને જીવનની ઊંચાઈ પામી ગયા. માત્ર સ્મૃતિમાં રહેશે !' સ્મરણ કરવું એય છે એક લ્હાણું!! તારાબેનના કુટુંબમાં મહેન્દ્રભાઈ અને આશાબહેન મામા-મામીના આદરણીય સ્થાને બિરાજમાન અને એ રીતે રમણભાઈ-તારાબેનના કુટુંબમાંઆ યુગલની ઉપસ્થિતિમાં જ બધાં વ્યવહારિક પ્રસંગો પણ જવાય એવા એ કુટુંબીજન જ. બે દિવસ પછી પરમ સ્નેહી સાધક શ્રી બિપિનભાઈ જૈનનો ફોન આવ્યો. અપાર વેદના સાથે એક જ વાક્ય ‘આપણા રમણભાઈ ગયા પછી તા૨ાબેન આપણો આશરો હતા, એ પણ ગયા!! આપણો આ ખાલીપો નહિ જ પૂરાય. અમને ધરમપુર આશ્રમમાં આ દુઃખદ સમાચાર મળ્યા ત્યારે બધાં સ્તબ્ધ થઈ ગયા.' આત્મ મર્મજ્ઞ સાધક ડૉ. રાકેશભાઈ ઝવેરી અને સર્વ સાધક મુમુક્ષુશ્રીઓ તારાબેનને બાના સંબોધનથી હૃદય સન્માન આપે. ડૉ. રાકેશભાઈની અમૂલ્ય થિસીસ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ડૉ. રમણભાઈ યુનિવર્સિટીના નિયમે માર્ગદર્શક હતા. એ સંબંધે અને તારાબેનની જ્ઞાનપિપાસાને કારણે પૂ. રમણભાઈના દેહ વિસર્જન પછી પૂ. તારાબેન માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર, જાણે એમનું બીજું પિયર બની ગયેલ. રમણભાઈના અસહ્ય વિયોગનો એ આશ્રમમાં જાણે મોક્ષ થઈ ગયો! સ્વસુર પક્ષે તારાબેનના લગભગ ૧૦૦ થી વધારે કુટુંબીજનો, પણ પોતાના ઉમદા શ્રાવિકા જીવનને કારણે આત્મ સ્નેહીઓ અનેક. તારાબેન એક વખત એકને મળે, એટલે જીવનભર એ વ્યક્તિ એમનાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36