Book Title: Prabuddha Jivan 2009 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન ‘અપરિગ્રહ વ્રત' ડૉ. રણજિત પટેલ (અનામી) વર્ષો પૂર્વે એકવાર સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન ભારત આવેલા...મેં એમને વિમાનમાંથી ઉતરતા જોયા. એ છ ફુટથીય ઊંચા અહિંસક પઠાણને જોઈ હું દંગ થઈ ગયો. આજે પણ એ દૃશ્યને હું ભૂલી શક્યો નથી...ખાદીનો કુરતો, ઝભ્ભો ને બગલમાં એકમને આકંઠ શ્રદ્ધા છે કે સમાજમાં કોઈપા દુઃખી ન રહે...એટલી ગઠરી...જેમાં બીજાં બે-ત્રણ ખાદીનાં વસ્ત્રો. આ એમનો પરિગ્રહ ! બધી અન્ન, વસ્ત્ર ને રહેઠાણની છત છે, પણ જ્યાં સુધી વર્ગવિગ્રહની પૂ. મહાત્મા ગાંધીને તો કેવળ એક કચ્છ. નોબત વાગશે નહીં ત્યાં સુધી આ અમાનવીય લોભ ને પરિગ્રહ રહેવાનાં, જવાનાં નહીં. જૈન ધર્મમાં પાંચ વ્રતો ગણાવ્યાં છે તેમાં અહિંસા વ્રત, સુત (સત્ય) વ્રત, અસ્તેય વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ વ્રતનો સમાસ થાય છે. ‘દર્શન અને જ્ઞાનનું ફળ-ચારિત્ર’ તેને અંગેનાં આ ધન–અનિવાર્ય ગણાય છે. પરિગ્રહ એટલે સ્વીકાર, અંગીકાર. ધન-માલમત્તા વગેરેનો સંગ્રહ, પરિગ્રહનો અર્થ પત્ની પણ અતંત્ર જાગૃતિ દર્શાવનારા સંસારી સાધુઓ અને સાચા સાધુ સંન્યાસીઓમાં તો અપરિગ્રહની આ વૃત્તિ...ત હોય છે જ. એકવાર સાબરને તીરે ગાંધીજી એક નાનકડી લોટથી હાથ-મુખનું પ્રક્ષાલન કરતા હતા. કોઈકે બાપુને કહ્યું: ‘આવડી મોટી નદીને તીરે આ એક લોટીથી શું કરી રહ્યા છો? ત્યારે બાપુએ કહ્યું: ‘આ લોકમાતા મારા એકલાની નથી...અન્ય લાખો લોક ને પશુ-પંખીની પણ એ માતા છે. જેટલાથી કામ સધે એટલું જ વાપરવાનો મને હક છે ને મારો ધર્મ છે. અન્યનો પણ એના ઉપર અધિકાર છે. આ તો થઈ ખરો.પરિજન ને પરિવારનો પણ એમાં સમાસ થાય, આમ પરિગ્રહી એટલે ઉપર્યુક્ત પરિચહવાયું...ને અપરિગ્રહી એટલે એનો સ્વીકાર નહીં કરનાર. આમ અપરિગ્રહ એટલે વસ્તુઓ રાખવી નહીં, રખાવવી નહીં કે રાખવામાં અનુમોદન કરવું નહીં. ઑગસ્ટ, ૨૦૦૯ હિંદુ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ ષરિપુઓ ગણાવ્યા છે.કામ, ક્રોધ, લોભ, મોહ, મસર, મદ, વગેરે. આમાં કામ અને ક્રોધના મૂળમાં લોભ રહેલો છે. કામાત્ ક્રોધોભિજાયતી. આ લોભવૃત્તિ અનેક અનિષ્ટોનું મૂળ છે. લોભે લેશે જાય અમસ્તું નથી કહ્યું. દુનિયામાં વસ્તુઓની અછત નથી પણ લોભવૃત્તિને કારણે પરિગ્રહની વૃત્તિ પ્રબળ બને છે ને સંગ્રહ કરવાની વૃત્તિને કારણે વસ્તુની જ્યાં ત્યાં અછત વરતાય છે ને બિનજરૂરી ભાવ ઊંચકાય છે. એક સ્થળે વસ્તુઓનો હિમાલય ખડકાય છે ને એને કા૨ણે અન્યત્ર મોટી ખાઈ સર્જાય છે. ગરીબ-તવંગરનું સમાજમાં સર્જન પણ આને આભારી છે. આમાંથી ઈર્ષ્યા અને વર્ગવિગ્રહ જન્મે છે. ચોરી અને લૂંટફાટની સમાજમાં વૃદ્ધિ થાય છે. ગુનાહિત કૃત્યોના મૂળમાં આ લોભવૃત્તિ ને પરિગ્રહવૃત્તિ રહેલાં છે. આજે સમાજના ઉચ્ચ વર્ગના અને મધ્યમવર્ગના સુખી લોકો જો પોતાના પરિગ્રહ પર દૃષ્ટિ કરે ને અપરિગ્રહવ્રતને સ્વીકારે તો વ્રત અનિવાર્ય ગણાય. કૉલેજમાં હું ભણતો હતો ત્યારે વસ્ત્રમાં કેવળ ખાદીના બે સંસારી સાધુની વાત...સાધુ-સંન્યાસીઓમાં તો અપરિગ્રહનું આ ધોતિયાં, બે ઝભ્ભા, એક અંડરવેર ને એક જોડી દેશી ચંપલ. વસ્ત્રોના આટલા પરિગ્રહથી આખું વર્ષ નભી જતું, આજે હું જોઉં છું તો એના ડુંગર નહીં તો ઢગલા થયા છે! આ બધાનો કશો જ ઉપયોગ નથી જરૂર જણાય ત્યારે ખરીદી શકાય...પણ નવીનતાનો મોહ, નર્યો મૂઢ ઉપયોગિતાવાદ અને ભાવિની ભીતિ. કિશોરકાળે દેવળ બાર આનામાં ચંપલ મળતી, આજે સવાસો ને દોઢસો રૂપિયા! જ્યો૨ ચંપલના ભાવ બાવીસ રૂપિયા હતા ત્યારે હું સામટી અર્ધો ડઝન જોડ ખરીદી લાવેલો...એનું ‘લોજિક’ કયું ? પ્રતિવર્ષ ભાવમાં ઉત્તરોત્તર થતો વધારો...આની પાછળ પૈસાની છત, લોભ અને બચતની દૃષ્ટિ પણ ખરી. સ્વામી આનંદે, મારા પિતરાઈઓ' નામના એક લેખમાં આવો એક કિસ્સો નોંધ્યો છેઃ' બપો૨વાળા...એક સાધુ સદાવર્ત ચીઠ્ઠીના ચોકીદાર પાસેથી લઈ અમારા જ માંડવામાં થોડે દૂર બે ટિક્કડ (જાડી રોટી) ખાઈને ચાલી નીકળ્યો, થોડાં ડગલાં ગયો હશે ને સદાવર્તવાળાએ ટપાર્યો: બાબાજી! આગે પંવાલી હૈ, બે પડાવનો આટો અહીં અપાય છે. લેતા જાઓ. ચડાઈમાં સાંજે ક્યાંક બે ટિક્કડ પાઈ લેજો! પેલો થોભ્યો. મોં ફેરવીને કહે: ‘પ્યારે! સાધુ શામકી ફીકર નહિં કરતા.' ને ચાલ્યો ગયો..અમે ત્રણે દિગ્મૂઢ! સ્વાભાવિક છે કે કુટુંબ કબીલાવાલા સંસારી આટલી હદે અપરિગ્રહ રહી શકે નહીં પણ જો અંતર્મુખ બની થોડીક જાગ્રતિ દાખવે અને ભોગ વિલાસ (લક્ઝરી), આવશ્યકતા અને અછતની ભેદરેખા પરખતાં શીખે તો એમની તો આત્મિક ઉન્નતિ થાય પણ ખખડી ગયેલો ક્ષીણ સમાજ પણ સુખી અને પ્રાણવાન બને. અપરિગ્રહનું આ વ્રત સર્વવ્યાપક બને તો 'સર્વેજના સુખીનો ભવન્તુ, સર્વે સન્તુ નિરામયાઃ સર્વેભદ્રાણિ પશ્યન્તુ, માકશ્ચિદ્ દુઃખ આનુપાતુ' એ મંગલ પ્રાર્થના મૂર્ત બને, પ્રશ્ન કેવળ મર્યાદાનો છે. વ્રત, વૃત્તિ બને તો સુવર્ણમાં સુગંધ ભરાય. રસિકભાઈ રાજિતભાઈ પટેલ, C12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલાની સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36