Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ ૬૧૦ આરોપ ન કરે, કેઇની ચાડી ન ખાવી, કોઈની નિંદા ન કરવી વગેરે પચ્ચક્ખાણ સુલભ છે. ક્ષમા કુર– ગુરુએ અર્જુનને પાઠ આગે કે-“મા ગુરુ (ક્ષમા કરે બીજા અનેક શિષ્યને પાઠ આપ્યો હતો. બીજા બધા શિવ્યાએ તો જલદીથી પાઠ કરીને આપી દીધું. બે શબ્દોને યાદ રાખવામાં કેટલી વાર લાગે? બે મિનિટમાં પાઠ આપી દીધું. પરંતુ અર્જુનને પાઠ ન થયો. એક દિવસ પસાર થયા. ગુરૂજીએ પૂછયું–પરંતુ અર્જુને કહ્યુંગુરૂજી! હજી સુધી પાઠ નથી થયે. બીજા દિવસે પણ આ જ જવાબ આપ્યા. ત્રીજા દિવસે ગુરૂજીએ જોરથી બે થપ્પડ મારી. મારતાંની સાથે જ એક મિનિટમાં પાઠ થઈ ગયે. ગુરૂજીએ પૂછયું–કેમ હવે એક મિનિટમાં કે પાડ થઈ ગયે? અર્જુને કહ્યું–ગુરૂજી! “ક્ષમા ? ક્ષમા કરે એ પાઠ છે. માત્ર ચેપડીના શબ્દો ગોખવાથી શું થાય? આથી મેં જીવનમાં-આચરણમાં ઉતારવાનો, પાઠ કર્યો. પરંતુ પાઠ થઈ ગયે એ તે હું કેવી રીતે કહી શકું? અથવા કયારે કહી શકું? જ્યારે કોઈ ક્ષમા કરવાને અને રાખવાનો પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે જ ખબર પડે! ગુરૂજી ! તમે બે થપ્પડ મારી ત્યારે હું ક્ષમા રાખી શકયે, મને કોધ-ગુસ્સે ન આવ્યો. આથી હું એમ કહી શકું છું કે પાઠ થઈ ગયા છે. સાચા અર્થમાં . થઈ ગયે છે. કલહમાં ક્રોધ કષાયની પ્રબળતા– કલેશ, કલહ, ઝગડે વગેરે પર્યાયવાચી શબ્દ છે. ગુજરાતીમાં કંકાસ, કજિયે પણ કહેવાય છે. કલહ બે ચાર અથવા દસ-વીસની વચ્ચે થાય છેનિમિત્ત કેઈના પ્રત્યે ક્રોધાદિ કષાયનું હોય છે. પ્રાયઃ કલહમાં ક્રોધ કષાય જ પ્રબળ હોય છે. ક્રોધ જ ઝગડાને ઉત્પન કરે છે, અને ઝગડાને વધારે પણ છે. નાના છોકરાઓ સ્કૂલેથી રડતાં-રડતાં ઘરે આવ્યા. સ્કૂલમાં શિક્ષકે એ છોકરાઓને માર્યા હતા. તોફાનના કારણે મારવા પડયા. આથી છોકરાઓ રડી રહ્યા હતા. છોકરાએ ઘેર આવતાં જ માતા કોપાયમાન થઈ. છોકરાઓ પ્રત્યે જે મમત્વ હતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50