Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 44
________________ ६४८ આંતરિક કલહથી એટલા દુઃખી થઈ ગયા કે પ્રાણ પણ એવા પડયા. ભૂતકાળના આવા કેલહાના પરિણામેનો વિચાર કરીને પ્રાપ્ત થયેલ પ્રસંગે બચવાનો પ્રયત્ન કરવું જોઈએ. આધુનિક મંથરાના ભંગ ન બની જવાય એની કાળજી રાખવી. - ગંગામાં સ્નાન કરીને પાછા ફરી રહેલા સંન્યાસીએ દૂરથી આવતા ચંડાલને જોઈને તિરસ્કાર-નફરત કરતાં બૂમ પાડવા લાગ્યા–અરે! દૂર ખસી જા, દૂર જતો રહે ચંડાલ ! ચંડાલ દોડા-દોડતા આવીને સંન્યાસીને ગળે બાઝી પડે. હસતાં-હસતાં કહેવા લાગ્યાઆજે મારો ભાઈ વર્ષો પછી મળે છે તેને મને આનંદ છે. આ સંઘર્ષને જોવા માટે સેંકડે લોકે ભેગા થઈ ગયા. તમાશાને તેડું હોતું નથી. ઝઘડામાં સામસામી, ગાળાગાળી, મારામારી, કાપાકાપી કરવાવાળા બધા સરખા જ હોય છે. અહીં નાના-મેટાને ભેદભાવ ભૂંસાઈ જાય છે. આથી જ્યારે મોટા માણસે નાનાની જોડે કલહ કરે છે. ત્યારે તેની મેટાઈને નાશ થાય છે. ગુરૂતા હણાય છે. ઈજજત આબરૂ ઓછી થાય છે. માન-સન્માન ઘટે છે. ગંગામાં સ્નાન કરીને આવતાં સંન્યાસી ઉપર એક વેશ્યા ઘૂંકી. સ્વામીજી બીજીવાર સ્નાન કરવા ગયા. વેશ્યા બીજી–ત્રીજીવાર પણ ધૂકી. સ્વામીજી સાતવાર ગંગામાં સ્નાન કરી આવ્યા અને વેશ્યા સાત વાર પાન ખાઈને તેમના પર થૂકી આ જોઈને લોકોએ કહ્યું-સ્વામીજી ! આપ એકવાર વેશ્યાને ચીડાતા કેમ નથી ? જરા બે શબ્દો સંભળાવીએ તે તરત ભાગી જશે. સંન્યાસીએ કહ્યું–અરે ! હું સંન્યાસી થઈને વેશ્યા સાથે ઝઘડું ? કેઈની સાથે ઝઘડવું એટલે તેના જેવા થવું –બનવું. એ મને પસંદ નથી. એમાં મને શું નુકશાન છે ? નુકશાન તે બિચારી તેણીને છે–સાત પાન ખાવામાં સાત રૂપિયા તેના ગયા. મને તો ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય જ મળ્યું છે. જે દુર્જન પોતાની દુષ્ટતા ન છેડે તો સજજને એ પણ પોતાની સજજનતાને ન છોડવી જોઈએ. ગંભીર બનવાનો પ્રયત્ન કરી જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાન ગંભીર બનવું જોઈએ. નિર્દી -નિષ્કષાયી બનીને સેંકડે સંઘર્ષોથી બચી શકીએ છીએ. બધા પ્રત્યે પૂજ્યભાવ-આદરભાવ રાખવાથી કલહ-કષાય ઓછા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50