Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ૬૨૮ જ રહેવું, સમય, પ્રસંગ કંઈ જ ન જેવું. આવશ્યકતા-અનાવશ્યકતા કંઈ જ ન જવું અને બોલતા જ રહેવું. જેટલું વધારે બેલાય છે તેમાં અસત્યના અંશે પણ ઘણું વધારે હોય છે અને અનાવશ્યક અનુપાગી શબ્દોને પ્રયોગ પણ વધારે રહે છે. નિરર્થક બેલવામાં હાસ્ય-વિનોદ-મશ્કરી ઠઠ્ઠા વધારે થાય છે. હાસ્ય કયારેક જરૂરી પણ બને છે તે સમયસૂચકતાની સાથે પ્રસંગ ઉપર હાસ્ય થતું હોય તે તે ઉચિત જણાય છે. કારણકે મેટું ચડાવવું, તંબૂરે કુલાવ, રીસાળ વૃત્તિ એ દોષ છે અને એની બદલે પ્રસન્ન, મિતપૂર્ણ મેં એ શોભા આપે છે. પરંતુ વાતે વાતે હસવું રોભતું નથી. ઘણીવાર હસવામાંથી ખસવું પણ થઈ જાય છે. એક કહેવત છે કે – __ "रोग का मूल खांसी और कलह का मूल हांसी' જે તમને ખાંસી બંધ નથી થતી અથવા મટી નથી જતી અથવા તે વધતી જ રહે તે સમજવું કે ખાંસી એ મોટા ટી.બી. જેવા રેગની નિશાની છે. ક્ષય રાજ્યમાં, તપેદિક વગેરે મેટા રોગોનું મૂળ લક્ષણ ખાસી બતાવ્યું છે તેવી જ રીતે કલહનું મૂળ હાંસી બતાવ્યું છે. હસવાની વાતેવાતમાંથી ઝઘડે વધી જાય છે. હાસ્ય-મજાક અને વિનોદમાં કોઈની પટ્ટી ઉતારવામાં જેઓ પરસ્પર મશગુલ છે તેઓને તે મજા આવે છે પરંતુ જેના વિષયમાં વાત થઈ રહી છે તેના મનમાં તો ઘણું દુઃખ થઈ રહ્યું હોય છે તે ઘણે જ દુઃખી થાય છે. શકય છે કે તે મનમાં ગાંઠ બાંધી લે અને વખત આવે બદલે લેવાની ભાવના પણ રાખે અથવા તે સમયે ઝઘડી બેસે છે. કેમ કે તેને પિતાનું અપમાન લાગી રહ્યું છે. આ અપમાન તેને કલહ કરવા માટે ઉત્સાહિત કરે છે. ઘરમાં વૃદ્ધ માતાએ પણ ઘણીવાર કહેતી હોય છે કે તમે આજે બહુ હસ્યા છે ને તે સમજજો કે રડવાના દિવસે જલદી આવશે. સ્વપ્ન શાસ્ત્ર પણ કહે છે કે જો તમે સ્વપ્નમાં હસતા હોય તે સમજવું કે રડવાનું ફળ સામે આવવાની સંભાવના વધારે છે. કારણ કે વાતવાતમાં વાતાવરણમાં ગરમી આવી જાય છે અને સંઘર્ષનું વાતાવરણ ઊભું થઈ જાય છે. તેથી અત્યંત ઓછું બેલવું, આવશ્યક -જરૂર પૂરતું જ બેસવું એ કલહ ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50