________________
संस्थानानि संघाताः वर्णरसस्पर्शगंधशब्दाश्व । पुद्गलद्रव्यप्रभवा भवन्ति ગુળા: પર્યાયાર્થે હવઃ ।। ૬ ।। अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम् ।
जानीह्यलिङ्गग्रहणं जीवननिर्दिष्टसंस्थानम् ॥ १२७ ॥
અનુવાદ :
સંસ્થાનો, સંઘાતો, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ અને પર્યાયો છે, તે પુદ્ગલદ્રવ્ય નિષ્પન્ન છે.
જે રસરહિત, રૂપરહિત તથા ગંધરહિત અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટસંસ્થાન છે, ચેતનાગુણવાળો છે અને ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય છે, તે જીવ જાણો. (૧૨૬-૧૨૭) સમજૂતી :
નિશ્ચયનય અને વ્યવહારનયના વિવિધ પર્યાયો વડે જીવનું વર્ણન કરીને હવે અજીવની વ્યાખ્યા કરે છે. અજીવના પાંચ ભેદ છે : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ. જીવમાં જે ચૈતન્યગુણ પ્રવર્તે છે, તે અજીવના ભેદરૂપ પુદ્ગલાદિમાં હોતો નથી, તેથી તેમનામાં સુખદુ:ખાદિનું જ્ઞાન, હિતમાં પ્રવૃત્તિ અને અહિતની નીતિ હોતાં નથી.
વળી, અચેતન એવા પુદ્ગલદ્રવ્યના અને ચેતન એવા જીવ દ્રવ્યનાં લક્ષણો વડે જીવ-અજીવનો વાસ્તવિક ભેદ પણ દર્શાવ્યો છે. જીવ અને શરીરના સંયોગમાં જે સ્પર્શ-રસ-વર્ણ-ગંધ-શબ્દસહિત હોવાને કારણે ઇન્દ્રિયગ્રાહ્ય છે અને સંસ્થાનસંઘાતાદિ પર્યાયો રૂપે પરિણત થાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે તે અચેતન છે. જ્યારે ચૈતન્યતત્ત્વથી યુક્ત જીવ સ્પર્શાદિ ગુણોથી રહિત અને અનિર્દેષ્ટ સંસ્થાન હોવાને લીધે અવ્યક્ત છે. અને તેથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી. જીવ અને અજીવ એ બે મૂળ પદાર્થો છે. પરસ્પરના સંયોગથી નિષ્પન્ન થતા અન્ય સાત પદાર્થો વિશે ક્રમશ: નિરૂપણ કર્યું છે. (૧૨૩-૧૨૭)
जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो ।
परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी ।। १२८ ॥ यः खलु संसारस्थो जीवस्ततस्तु भवति परिणामः । परिणामात्कर्म कर्मणो भवति गतिषु गतिः ॥ १२८ ॥
-
એમ જે બહુ ગુણો
मधिगस्स देहो देहादो इंदियाणि जायंते ।
तेहिं द विसयग्गहणं तत्तो रागो व दोसो वा ।। १२९ ।। दु
Jain Education International
૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org