Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ સાયંકાળનો તથા રાત્રિને ( રાત્રિની ભક્તિને ક્રમ સમય કા થી લા) ૪. વંદન તથા પ્રણિપાતસ્તુતિ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરણસિંઘુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીને ચરણમાં, હે વંદન અગણિત. હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળધર્મ (માર્ગ) આપ શ્રીમદે અનંતકૃપા કરી મને આયે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38