________________
શ્રી તીર્થંકરદેવોના જીવની ભાવના ભવાંતરથી એવી હોય છે કે
“मोहान्धकारगहने, संसारे दुखिता वत |
સત્વા: પરિશ્રમન્યુન્થઃ, સત્યરિમજ્જર્મતે નરિસ II9ll” શ્રી સર્વજ્ઞપ્રણિત ધર્મ રૂપી ઉધોત જગતમાં વિધમાન હોવા છતાં, અહો ! મિથ્યાત્વાદિ મોહાંધકારથી વ્યાપ્ત ભવમાં દુ:ખિત પ્રાણિઓ અત્યંત પરિભ્રમણ કરે છે.
“ ઉમેતાવત: $Qા, યથાયોગ થgવન |
નેનોત્તરયામીતિ, વરવોuસમન્વિત: Ifશા” વરબોધિને પ્રાપ્ત થયેલો હું, ભીષણ ભવભ્રમણથી પીડા પામી રહેલા આ પ્રાણિઓને કોઇ પણ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધર્મ રૂપી ઉધોત વડે દુ:ખમય સંસાર થકી પાર ઉતારૂં.
___ "करुणादिगुणोपेत:, परार्थत्यसनी सदा ।
___ तथैव चेप्टते धीमान, वर्द्धमानमहोदय: ।।३।।" અનુકંપા, આસ્તિક્ય આદિ ગુણોથી યુક્ત, પરોપકાર કરવાના ગુણવાળો, નવીન નવીન પ્રશસ્ત ગુણોનો ઉદ્ગમ પ્રતિક્ષણે જેને વૃદ્ધિ પામતો છે એવો બુદ્ધિમાન આત્મા, પ્રાણીઓ ઉપરની કરૂણાથી પ્રેરાઇ, તમને તારવાની ક્રિયામાં રક્ત બને છે.
“તત્ત ન્યાયિોગોને, પૂર્વન સવાર્યમેવ સ: I
તીર્થpqમવામોતિ, પરં સત્વાર્થસાઘi Il8IT” સિધ્ધાન્તનું પરિશુધ્ધ જ્ઞાન, અતિશાયી ધર્મકથા અને અવિસંવાદી નિમિત્તાદિ વ્યાપારો વડે ભવ્ય પ્રાણીઓને હિતકારી, મોક્ષબીજના આધાનાદિ રૂપ પરમાર્થ કરવા વડે વરબોધિમાન પુરૂષ તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે.
"चिन्तयत्येवमेतत्, स्वजनादिगतं तु य:। તથાડMાનત: સોડપ, ઘીમાન્ Uાઘરો ભવેત્ IIII” બોધિપ્રધાન, પ્રશસ્ત બુદ્ધિવાળો જે આત્મા પોતાના સ્વજનો-કુટુંબીઓ, મિત્રો, દેશબંધુઓ વિગેરેને માટે ભવથી તારવાની ભાવના ચિંતવે છે તથા તેને અનુરૂપ પરોપકારાદિ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા દેવ, દાનવ અને માનવાદિને માનનીય તથા મહામહિમાવાળું એવું જે ગણધર પદ, તેનું ઉપાર્જન કરે
છે.
"स्विण्नो भवनिर्वेदादात्मनि:सदणं तु य: ।
आत्मार्थसंप्रवृत्तोडसौ, सदा स्यान्मुण्डकेवली ||६||" માત્ર સ્વપ્રયોજનબધ્ધ ચિત્તવાળો સંવિજ્ઞ આત્મા, જરા-મરણાદિ રૂપ દારૂણ અગ્નિથી સળગતા ભવકાનનના મધ્યમાંથી પોતાના આત્માને બહાર કાઢવાની ભાવના ભાવે છે અને તેને અનુરૂપ અનુષ્ઠાના સેવે છે. તે તથા પ્રકારના બાહ્ય અતિશયોથી શૂન્ય સામાન્ય કેળવણીપણાને પ્રાપ્ત કરે છે.
તથા મથતરત્રનિમિત્તોપનિપાતતઃ |
एवं चिन्तादिसिध्धिश्च, सन्यायागमसड्गता ||७||" કાલાદિ કારણોના સન્નિધાનથી પૂર્વોક્ત ચિત્તવન અને અનુષ્ઠાનનો ભેદ, યુક્તિ અને શાસ્ત્ર દ્વારા. સુસિદ્ધ છે. કારણની વિચિત્રતા વિના કાર્યની વિચિત્રતાને શાસ્ત્ર કે લોક કોઇ પણ માનતું નથી. એ ન્યાયે ચિન્તવનાની વિચિત્રતા કારણચિત્ર્યની અપેક્ષા રાખે છે અને એ કારણચિત્ર્ય તથા ભવ્યત્વની વિચિત્રતાને અંગે હોય છે. એ રીતે પરસ્પર કાર્યકારણભાવ રહેલો છે.
- આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી તથા આચાર્યભગવાન મલયગિરિજીના ઉપર્યુક્ત વચનોથી એ સિધ્ધ થાય છે કે-શ્રી જિનેશ્વરદેવના આત્માઓ ત્રીજા ભવમાં સેવેલી અત્યંત શુભ ભાવના અને તદનુરૂપ
Page 26 of 65