Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 47
________________ સાચા મહાદેવોને છૂપાવી કુદેવોને મહાદેવો તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રપાક સદ્ધર્મને છૂપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્ત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરૂષોને અપાત્ર તરીકે જાહેર કરી કેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુધ્ધ ૫ અને અનેકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિધ્ધર્ષિ ગણિવર માવે છે કે "कौतुकं कुहकं मन्त्र - मिन्द्रजालं रसक्रियाम् । નિર્વિષીરનું તત્ર-મન્તર્ધાનં સવિસ્મયમ્ ||9|| औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्गं स्वरं तथा । લક્ષનું વ્યનાં મૌનં, નિમિત્ત ૫ શુમાશુમમ્ ||શા ૩વ્વાદનું સવિદ્વેષ-માયુર્વેતં સનાતમ્ | ज्योतिषं गणितं चूर्णं-योगलेपास्तथाविधाः ||३|| ये चान्ये विस्मयकरा, विशेषा पापशास्त्रजाः । અન્યે મૃતોપમર્હસ્ય, હેતવ: શાદ્યતત્વ: ||૪|| तामेव ये विजानन्ति, निःशङ्काश्च प्रयुझ्जते । ન ધર્માવાધાં મળ્યો, શા: પાપપરાયળા: ||૪|| त एव गुणिनो धीरा-स्ते पूज्यास्ते मनस्विनः । ત વ વીરાસ્તે લામ-માનિનસ્તે મુનીશ્વરા: ।।।। इत्येवं निजवीर्येण, बहिरड्गजनेडमुना | મિથ્યાર્શનસંોન મદ્ર ! પાપા: પ્રશિતા: ||||” “કૌતુક એટલે સૌભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિધા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતિએ અંજન દ્વારા અદ્રશ્ય થવાની ક્રિયા, ઔત્પાત એટલે તારા વિગેરેના ખરવાથી સારા-ખોટા ફ્લનું કથન કરવું તે, આન્તરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારા-નરસા ફ્લનું પ્રતિપાદન કરવું તે, દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝંપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી તે, આંગ એટલે પુરૂષો અને સ્ત્રીઓના જમણાં અને ડાબાં અંગો કવાથી શુભાશુભ ફ્ળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ફ્ળનું કથન કરવું તે, લક્ષ્ણ એટલે હાથ અને પગની રેખા ઉપરથી સારા નરસા ફ્ળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફ્ળનું કહેવું તે અને ભૌમ એટલે ધરતીકંપથી શુભાશુભ ફ્ળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્તથી ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું, શત્રુના વિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણ ટુમણ કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વૈધક ક્રિયા કરવી અને સંતતિનાં શુભાશુભ બતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવાં અને યોગના પાદલેપો તૈયાર કરવા તથા તેવાજ પ્રકારના બીજા પણ જે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારો અને બીજા પ્રાણીઓના ઉપમર્દનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો ફરમાવે તેવા જે જે વ્યાપારો તેનેજ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાએ છે એટલુંજ નહિ પણ નિઃશંક બનેલા જેઓ કોઇ પણ જાતિની શંકા વિના એ વ્યાપારોનો પ્રયોગ કરે છે અને Page 47 of 65

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65