Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ ગઈ, હરબંસ મૂંઝાયો અને વહેલી તકે વતન છોડી સિમલા આવીને પોતાની તાલીમ શરૂ કરી દીધી. ૧૯૬૧ના જુલાઈ માસમાં હરબંસસિંઘે સતત વ્યાસી કલાક ચાલવાના મનોરથ સાથે સિમલામાં જાહેરમાં પ્રયોગ શરૂ કર્યો. થોડા કલાક વીત્યા અને કેડમાં સખત દુઃખાવો શરૂ થયો. સિમલાના વિચિત્ર હવામાનને કારણે એની વેદના વધતી ચાલી. આખરે છાસઠ કલાક સુધી ચાલ્યા પછી એ ભાંગી પડ્યો. થાકની તો એટલી બધી અસર થઈ કે છત્રીસ કલાક સુધી બેભાન રહ્યો ! આ નિષ્ફળતાએ એવો તો ધક્કે લગાવ્યો કે ત્રણ વર્ષ સુધી તો ફરી સતત ચાલવાનો પ્રયોગ કરવાનું નામ પણ ન લીધું. પરંતુ પગ વાળીને બેસે એ સાચો રમતવીર નહીં. રમતનો શોખ જ એવો કે રમતશોખીનને શાંત રહેવા દે જ નહીં. એણે ખરાખરીના ખેલ ખેલી લેવાનો મનસૂબો કર્યો. ૧૯૯પના ફેબ્રુઆરી મહિનામાં ભિલાઈ સ્ટેશન પાસે આ કાર્યક્રમ હાથ ધર્યો. પૂરતી જાહેરાત થઈ. સતત એક જ વર્તુળમાં ચાલતા રહેવાથી ક્યારેક વર્તમાન પરિસ્થિતિનું ભાન ભૂલી જાય. વળી થોડી વારે હોશમાં આવે. પણ આ વખતે એના પગ તો ચાલતા જ હોય. આવું તો વારંવાર થયા કરે. વધારામાં કમરનું કાતિલ દર્દ અને મસલ્સમાં સતત દુખાવો રહે. આ વખતે હરબંસ પાછો પડે તેમ ન હતો. મન મક્કમ હતું. આફતોની પરવા ન હતી. જીતનો પાકો નિરધાર હતો. પછી અટકવાની કે હારી ખાવાની વાત કેવી ? આખરે હરબંસસિથે સતત વ્યાસી કલાક ચાલીને સિદ્ધિ મેળવી. આટલી સિદ્ધિ મેળવી એ શાંત બેઠો નહીં. એની સામે તો પીઅર્સ ગિલ્બર્ટ લોબીના સતત એકસો ને એકાવન કલાકે ચાલવાના વિક્રમના સમાચાર તરવરતા હતા ! અમૃતસરમાં ફરી પ્રયોગ હાથ ધર્યો. સતત એકસો ને પાંચ કલાક ચાલ્યો. ૧૯૯૬ના ફેબ્રુઆરીમાં એણે વિશ્વવિક્રમ તોડવાના મનોરથ સાથે મેદાને જંગમાં ઝુકાવ્યું. તાતાનગરમાં એકસો ને ત્રેપન કલાક ચાલવાનો ઇરાદો રાખ્યો. રાતદિવસ એ ચાલતો જ રહ્યો. એકસો કલાક, એકસો ને પચીસ કલાક અને છેક એકસો ને પિસ્તાળીસ કલાક ચાલ્યો. એથીય આગળ ચાલતો રહ્યો. છે કે એકસો ને ઓગણપચાસ 90 માટીએ ઘડ્યાં માનવી કલાક સુધી પહોંચ્યો. પણ ખાધાપીધા વિના કમજોરી આવી ગઈ હતી. એ પોતાની સ્થિતિનું ભાન ગુમાવી બેઠો. ચાલતો ચાલતો અટકી ગયો. માત્ર બે કલાક માટે વિશ્વવિક્રમ ચૂકી ગયો. ચાર કલાક માટે નિરધાર સફળ થતો રહી ગયો. વધારામાં તાતા કંપની તરફથી ભેટ રૂપે મળનારી મોટરકાર પણ ગુમાવી. નિષ્ફળતાએ હરબંસનો કેડો મૂક્યો ન હતો. હરબંસ એની સામે હરબંસસિંઘ હતાશ થાય તેમ ન હતો. ૧૯૬૬ના જુલાઈ માસમાં નેપાળની રાજધાની કાઠમંડુમાં પ્રયોગ રાખ્યો. નેપાળના રાજા મહેન્દ્ર આમાં ખાસ હાજરી આપી. ચાલવાનું શરૂ કરતાં પહેલાં ચોવીસ કલાક અગાઉથી હરબંસસિંઘ ભોજન બંધ કરે. પ્રયોગના સમયે ચાલતાં ચાલતાં જ માત્ર પાણી, ચા, કૉફી, ફળનો રસ અને વિટામિનની ગોળીઓ લે. ફળના રસ પર જ હરબંસની તાકાતનો સઘળો આધાર, નેપાળમાં તો ક્યાંય ફળ મળે નહીં. આથી હરબંસના શરીરમાં ઘણી કમજોરી આવી ગઈ. એવામાં વરસાદ તૂટી પડ્યો . અહીં એ માત્ર એકસો ને સોળ કલાક ચાલીને જ ભાંગી પડ્યો. એક વધુ કમનસીબી લઈને એ પાછો ફર્યો, પણ દિલમાં કમજોરી ઊગી નહીં. ‘એક દિવસ, એક દિવસ ...’ એ જપવા લાગ્યો. એ દિવસે સફળતા મારા કદમ ચૂમતી હશે. ૧૯૬૮ના જાન્યુઆરી મહિનામાં હૈદ્રાબાદમાં વિશ્વવિક્રમ તોડવાના નિરધાર સાથે ચાલવાનું શરૂ કર્યું. મનમાં ગાંઠ વાળી હતી કે ગમે તે થાય, પણ આ વખતે ક્યાંય અટકવું નથી. પીડા થવા લાગી. ભાન ભૂલવા લાગ્યો પણ અટકવાની વાત કેવી ? આખરે એકસો ને બાવન કલાક સુધી સતત ચાલીને મન કે હારે હાર, મન કે જીતે જીત • 91

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82