Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 72
________________ મહાવીરનો વારસદાર કોણ? (૬૩ સમય પહેલા કે સમય પછી કરી શકાતું નથી. તેને આગળ કે પાછળ કરવું આપણા હાથમાં પણ નથી, આપણે તો તે ફિલ્મનું જે દશ્ય નિશ્ચિત છે તે દૃશ્યના દેખનાર માત્ર દૃષ્ટા છીએ. ત્રણ કલાકની ફિલ્મમાં જે દૃશ્ય એક કલાક અને ચાલીસ મિનિટે નિશ્ચિત છે તેને વહેલા કે મોડા કરી શકાતુ નથી. એક કલાક અને ચાલીસ મિનિટ પહેલા અનેક પ્રકારની આકુળતા કરવા છતાં તે દૃશ્ય આવશે નહિ તથા એક કલાક અને ચાલીસ મિનિટે તે દશ્ય આવ્યા વિના રહેશે નહિ. એ જ રીતે એક કલાક ને ચાલીસ મિનિટ બાદ પણ તે દશ્ય આવશે નહિ. જે ઘટના જે સમયે ઘટવાની નિશ્ચિત છે તે ઘટના તેના ઘટિત થવાના સમય પહેલા કે પછી ઘટતી નથી અર્થાત્ દરેક કાર્ય તેના સમયે જ થાય છે તેથી જે ભૂતકાળમાં થઈ ગયું, વર્તમાનમાં થઈ રહ્યું છે તથા ભવિષ્યમાં થશે તેને યોગ્ય સમજીને સ્વીકાર કરવો જોઈએ. કોઈ માતાના વીસ વર્ષના દીકરાનું મરણ થાય તો પણ તે યોગ્ય અર્થાત્ તેની તત્સમયની યોગ્યતાથી જ મરણ થયુ છે એમ સમજવું. યોગ્ય થવાનો અર્થ સારૂં થયું એમ નહિ સમજવો જોઈએ. યોગ્ય થવું એટલે થવા યોગ્ય થવું. આમ, વિચાર કરતા આ જગતને દેખવાની અનેકાંતદૃષ્ટિ પ્રગટ થશે અને કોઈ પણ ઘટના પોતાના ભાવોને વિચલિત કરી શકશે નહિ. આ છ સિદ્ધાંતોના માધ્યમથી જગતનું સત્ય સ્વરૂપ સમજ્યા બાદ જગતમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. જ્ઞાનીને જગતનું પરિણમન સહજ જણાય છે. જે ભૂતકાળમાં ભૂલો થઈ હોય તેને ભૂલી જવી જોઈએ. હવે તો વર્તમાનમાં જીવવું જોઈએ. કારણકે ભૂતકાળના વિચારોમાં વર્તમાન બગાડવાથી તે વર્તમાન પણ એક સમય બાદ ભૂતકાળ થઈ જશે. આમ, સુધરવા કરતાં બગડવાનું પ્રમાણ વધી જશે. તેથી કહ્યું છે કે ભૂતકાળને ભૂલો, વર્તમાનને સંભાળો તો ભવિષ્ય સુધરી જશે. હાં, સારો પાઠ શીખવનાર ભૂતકાળ હંમેશા યાદ રાખવો જોઈએ કે જેનાથી ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય. ભગવાન મહાવીરનો ઉપદેશ માત્ર ભક્ત બનવા પુરતો ન હતો. ભગવાનનો ઉપદેશ ભગવાન બનવા માટે હોય છે. ભગવાનની ભક્તિ કરવા માત્રથી ભગવાન બની શકાતું હોત તો નિજ સ્વરૂપમાં લીન થવાની જરૂર પણ

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98