Book Title: Lokhandi Khakhna Ful Author(s): Jaibhikkhu Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 9
________________ . A & 2 A 0 4 છે = R. તે = = 3 K ) 8 (o 5 o 0 A A 6 0 - છે ' તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન’, ‘કંચન અને કામિની', “યાદવાસ્થળી’, પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની જવાલા', ‘શુલી પર સેજ હમારી’ વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જ થ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખું 'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચ કોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સુઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. ‘જયભિખ્ખનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮ - ધીરુભાઈ ઠાકર 0 6 ' અનુક્રમણિકા ૧. મહાગુરુનો આશ્રમ ૨. આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ ૩. અંબુજા ૪. નાદ-ગર્દભ ૫. શક્તિમાં વસતી એશક્તિ કાલકનું મનોમંથન ૭. માયાનગરી ૮. મહાચક્રપૂજા ૯. ભાગી છૂટ્યાં ૧૦. નવી દુનિયામાં ૧૧, જે જેનું તે તેને ૧૨. માયોકંચુકે ૧૩. મર કટ અને મદિરા ૧૪. અવન્તિના બે દૂત ૧૫. મને ભૂલી જજે ! ૧૬. બે ઘોડાનો સવાર ૧૭. કાલક ! કુહાડીનો હાથો થા ! ૧૮. લોખંડી પુરુષ ૧૯. સુનયનાનું અર્પણ ૨૦. એ રાતને પ્રભાત ન હોત તો૨૧. સાગના પંથે ૨૨. અલબેલી ઉર્જની ૨૩. નરનાં શિકારી ૨૪. સિંહ કે શિયાળ ? ૨૫. અલકા મનેકા બની ૨૬. હા હત્ત હત્ત ! ૨૭. પૃથ્વીનો પ્રભુ ૨૮. હાડકાંનો માળો ૨૯. પ્રતિજ્ઞા ૩૦. પ્રતિશોધનો પાવકે ૩૧. પરભોમ તરફ પ્રયાણ ૩૨. સપ્તભૂમિ પ્રાસાદ ૩૩. સ્ત્રી જે છે તે નથી 0 5 ' હ 0 4 હ = જે હ = છે - 0 in £ 5 - 0 - - છે 0 - - 6 છે 6 - ا 0 *' ت ا - ' لم ' 0 ' ا 0 و + نت + = 5 + કે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 249