Book Title: Lekh Sangraha Part 05
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 347
________________ [ ૩૧૪] શ્રી કપૂરવિજયજી અર્થે અને જ્ઞાનીનાં વચનોને યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ તેમ જ વિક્ષેપ મટાડવા ઘટે છે. પ્ર–મળ મટવાનાં સાધન કયાં છે? ઉ–સરલતા, ક્ષમા, સંતોષ અને સ્વદેનું નિરીક્ષણ એ વિગેરે મળને મટાડવામાં સાધન છે. પ્ર–વિક્ષેપ મટવાનું સાધન શું છે ? ઉજ્ઞાની પુરુષની અત્યન્ત ભક્તિ વિક્ષેપ મટવાનું સાધન છે. પ્ર-જ્ઞાની પુરુષના વિરહે શું કરવા ચોગ્ય છે ? ઉ–તેવે પ્રસંગે જ્ઞાનની દશા, ચેષ્ટા ને વચન સાવધાનપણે સંભારવા યોગ્ય છે. પ્ર–સ્વપ્ન સાચું કેવું પડે ? ઉ૦-જેઓ તદ્દન નીરોગી હેય, તેમ જ મન અને ઇન્દ્રિયોને ઠીક કાબૂમાં રાખી શક્તા હોય તેનું. પ્રહ–આત્માને મળેલું સ્વરૂપ શાથી ભૂલી જવાય છે? ઉ૦-પ્રમાદને લીધે. પ્ર–મનને વશ કરવાનાં ઉત્તમ સાધને કયાં કયાં છે ? ઉ૦–અલ્પઆહાર, અલ્પવિહાર, અલ્પનિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370