Book Title: Karm Vichar
Author(s): Chimanlal Dalsukhbhai Shah
Publisher: Manivijayji Granthmala

View full book text
Previous | Next

Page 140
________________ ૧૨૨ ] પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી તેના ભાવિસ્થાનને વિચાર અને તુલના એ સંસ્થાનવિચય ધર્મધ્યાન છે, ચૌદરાજકના પ્રમાણ, આકાર આદિને વિચાર પણ સંસ્થાનવિચય ધર્મધ્યાનમાં સમાય છે. દ્રવ્યા, ક્ષેત્ર, કાલ અને ભાવ અનુસાર ચાર ધ્યાનમાંના છેલ્લા બે ધ્યાન દ્વારા જીવ પોતાની અધ્યવસાય શુદ્ધિ ટકાવવા અને વિકસાવવા વિવેકપૂર્વક સાવધાન રહી ઉદ્યમશીલ બને છે. આના પરિણામે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનની અસંખ્યાતવાર ચડ-ઉત્તર પછી ધર્મધ્યાનના પ્રતાપે પ્રમાદ પર અંશતઃ વિજય પ્રાપ્ત કરી જીવ અપ્રમત્ત અવસ્થા સિદ્ધ કરતાં આઠમા નિવૃત્તિ બાદર અથવા તે અપૂર્વકરણ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. નિવૃત્તિ બાદર અથવા અપૂર્વકરણ ગુણસ્થાન : જીવની અપ્રમત્ત દશાને અંત આવતાં જીવની જે અવસ્થા હોય છે તે નિવૃત્તિ બાદર છે; આ ગુણસ્થાને સમસમી જુદા જુદા જીના અધ્યવસાય સ્થાનના અસંખ્યાત ભેદ હોઈ શકે છે તેથી આ ગુણસ્થાન નિવૃત્તિનાદર ગણાય છે. જીવ આઠમા અપૂર્વકરણ ગુણરથાને ગુણશ્રેણિ કરે છે, તેના બે પ્રકાર છેઃ (૧) ક્ષપક અને (૨) ઉપશમ. મેહનીય કર્મને જીતવા પ્રયત્ન કરતો જીવ પક શ્રેણિવાળો અથવા ક્ષેપક અને ઉપશમ શ્રેણિ કરતે જીવ ઉપશમ શ્રેણિવાળો અથવા ઉપશામક ગણાય છે. ઉપશમ શ્રેણિ કરતાં ક્ષપકશ્રેણિમાં છવની અષ્યવસાય શુદ્ધિ અને શ્રદ્ધા અધિકતર હોય છે. આ ગુણસ્થાને ઉપશમણિ શરૂ કરતે જીવ મોહનીયકમની કેટલીક પ્રકૃતિને ઉપશમ કરે છે, તે જ રીતે ક્ષકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156