Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 265
________________ ૨૪૪ ગતિમાન જીવ અથવા પુદગલ દ્રવ્યની ગતિમાં સહાયક છે. એ ગ હીન પદાર્થને ચલાવતો નથી.” કુંદકુંદાચાર્ય અને બીજા જન દાર્શનિકો પણ આ વિષયમાં જલ અને ગતિશીલ ભસ્યનું દષ્ટાંત આપે છે. “જલ જેવી રીતે ગતિશીલ મત્સ્યના ગમનમાં સહાયતા કરે છે તેવી જ રીતે ધર્મ પણ જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયતા કરે છે.” (૯૨ પંચાસ્તિકાય, સમયસાર,) તત્ત્વાર્થસારના કર્તા કહે છે કે “જે બધા પદાર્થો પોતાની મેળે ગતિમાન થાય છે, તેઓની ગતિમાં ધર્મ સહાયતા કરે છે, ગમન વખતે મત્સ્ય જેમ જલની સહાયતા ગ્રહણ કરે છે તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યો પણ ગતિમાં ધર્મની સહાયતા ગ્રહણ કરે છે. વસ્તુઓના ગતિકાર્યમાં ધર્મના અમુખ્યહેતત્વનું અને નિષ્ક્રિયત્વનું બ્રહ્મદેવ નીચે મુજબ દષ્ટાંત સાથે સમર્થન કરે છે. સિદ્ધ સંપૂર્ણપણે મુકત જીવ છે. તેમની સાથે સંસારને કશે પણ સંબંધ નથી. તેઓ પૃથ્વીના કોઈ પણ જીવના ઉપકારક નથી, પૃથ્વીના કેઈ પણ જીવવડે તેઓ ઉપકૃત થતા નથી. તેઓ કઈ પણ જીવને મુક્તિમાર્ગે લઈ જતા નથી. છતાં એ જે કઈ પણ જીવ ભક્તિપૂર્વક સિદ્ધ પુરુષની ભાવના કરે, એ વિચાર કરીને જુએ કે અનંતજ્ઞાનાદિ વિષયમાં સ્વાભાવિક રીતે તે પણ સિદ્ધના જેવો જ છે, તે પેલો જીવ ધીરે ધીરે સિદ્ધત્વની પ્રાપ્તિને માર્ગે આગળ વધે છે. અહીં જણાય છે કે ખરી રીતે જોતાં જીવ પોતે જ મોક્ષમાગનો વટેમાર્ગ બન્યો છે; છતાં સિદ્ધપુરુષ પણ તેની મુક્તિનું કારણ છે, એ વાતને અરવીકાર કરાય એમ નથી. ખરી રીતે કે કોઈ પણ પ્રકારે વસ્તુઓને ન ચલાવવા છતાં, ધર્મ બરાબર એ જ રીતે તેઓની ગતિનું કારણ અથવા હેતુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286