Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 266
________________ ૨૪૫ લકાકાશની બહાર ધવનું અસ્તિત્વ નથી. એટલા માટે જ સ્વભાવથી જ ઉર્ધ્વગતિ હોવા છતાં મુક્તજીવ લોકાગ્ર ઊપર આવેલી સિદ્ધશિલા ઉપર રહી જાય છે અને તેથી ઉંચે અલક નામના અનંત મહાશુન્ય આકાશમાં વિયરી શક્તા નથી. જે બધાં કારણોથી કાકાશ અલોકાકાશથી ભિન્ન છે તેઓમાંનું એક કારણ લોકમાં ધર્મની અવસ્થિતિ એ છે. વિશ્વમાં વસ્તુઓની સ્થિતિ અને વિશ્વ વસ્તુઓની નિયમાધીનતા ગતિસાપેક્ષ છે. એટલા માટે ધર્મને લીધે જ કાકાશ અથવા નિયમસંબઇ વિશ્વ સંભવી શક્યું છે, એમ કહી શકાય. એમ છતાં એ પણ યાદ રાખવું જોઈએ કે ધર્મ ગતિમાં સહાયક કારણ સિવાય બીજું કશું નથી. પદાર્થો પિતાની મેળે જ ગતિમાન અથવા સ્થિતિશીલ હોય છે અને કઈ પણ સ્થિતિશીલ પદાર્થને ધર્મ ચલાવી શકતો નથી. એટલા માટે જ વિશ્વની વસ્તુઓ સતત દોડાદોડ કરતી જોવામાં આવતી નથી. વિશ્વમાં જે નિયમ અને શંખલા ( વ્યવસ્થા) પ્રતિષ્ઠિત રહ્યાં છે તેનું એક કારણ છે એમ કહી શકાય. અધ્યાપક શીલના મત પ્રમાણે ધર્મ ગતિનું સાયક કારણ તે છે જ પણ તે “ એથી પણું બીજું કંઈક વધારે છે ” તેઓ કહે છે. “તે એ સિવાય પણ કંઈક છે, તે નિયમબદ્ધ ગતિપરંપરાનું (system of movements) કારક અથવા તો કારણ છે, જીવ અને પુદ્ગલની ગતિઓમાં જે ખલા (order) રહી છે તેનું કારણ ધર્મ જ છે” તેમના મત પ્રમાણે ધર્મ કંઇક લાઈબ્લીટ્સ પ્રતિપાદિત પ્રથમથી નિયત થએલ વ્યવસ્થા (Preestablished harmony) ના જે . પ્રભાચન્દ્રની “સકૃગતિ યુગપભાવિગતિ” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286